SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત શક્તિને વિકાશ છે, તે પુરુષાર્થ કરનારને જ મળે છે. ૪ વસંત ઋતુની લક્ષમીને આનંદ માણી કરતાં તેને મર્મસ્થાનને સમજનાર જ માને છે. કુદરતના મર્મને-વસ્તુતત્વના રહસ્યને સમજનાર અને તેના તરફ સતત પ્રયત્ન કરનાર જાણે છે. ૫ આકાશી હવાઈ વિમાનની સફરને આનંદ માણવાનો અધિકાર તેનું ભાડું આપનારને જ છે. આત્માના આનંદને ભેગવવાને અધિકારી ભાડાને સ્થાને વિશ્વની માયિક વસ્તુને ભેગ આપનાર જ છે. ૬ ગુરુ આદિની મદદ તમે ભલે લે પણ સદાચારી જીવન તે તમારે જાતે જ ગાળવું પડશે. ૭ આ જીવનની ગાડીના મુસાફર થવાને બદલે તેના સંચાલક એજીનીયર તમે જાતે જ બનશે ત્યારે તમારા પુરુષાર્થથી ધારેલ સ્થાને તમે પહોંચી શકશે. ૮ - બીજાઓ આપણું માટે વધારેમાં વધારે એટલું કરી શકે કે નિર્દોષ અગવડતા વિનાને, ભુલ ભુલવણી વિનાને માર્ગ બતાવે પણ તેને તે લાભ લઈને તે માર્ગે ચાલવાને પ્રયત્ન તો તમારે જાતેજ કરવો પડશે, તેના વિના પૂર્ણ સ્વરૂપ તમે ન જ થઈ શકે. ૯ અનુકૂળ કે પ્રતિકૂળ સંચગેને તમે તમારા વિચાર પ્રમાણે ઉલટપાલટ કરી શકે તેમ છે, માટે પ્રતિકૂળ સંગને
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy