SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૮ થાય છે, ત્યાગીના મનમાંથી ત્યાગનું, તપસ્વીના મનમાંથી તપનું, ચગીના મનમાંથી રોગનું, જ્ઞાની હૃદયમાંથી જ્ઞાનનું, ભક્તના હૃદયમાંથી ભક્તિનું અને ભેગીના મનમાં ભેગના વિચારને પ્રવાહ વહ્યા કરે છે. અને તેથી તે તે જાતનાં આંદોલનને પ્રવાહ તે તે જાતની લાગણી ધરાવનારા -તથા તે તે સંસ્કારવાળા જીના મનને તે તે જાતને વિચાર વધારે ઝડપથી અસર કરનાર નિવડે છે. ૮ આ ઉપરથી એ નિશ્ચય છે કે જેવા વિચારો તમે કરશે તેવા વિચારવાળા જે તમારા તરફ આકર્ષાશે, અને તેવી અસર વિશ્વના મનુષ્યને તમે કરી શકશે. તેવા વિચારેનું મુખ્ય સ્થાન તમે બનશે અને તેવા સજાતિય વિચારવાળાને તમે મદદગાર થઈ શકશે, કે મુશ્કેલીમાં ઉતારનારા અથવા સન્માર્ગથી પતિત કરનારા તમે થશે, ૯ આત્મભાનની જાગૃતિ રાખ્યા વિના તમે તમારા મનમાં ગમે તેવા હલકા વિચાર કરે તેથી તમે તમને તથા બીજાને પણ દુઃખના ખાડામાં ધકેલે છે તેને ખુબ વિચાર કરો. તમારા વચનને વાસ્તે તમે જેટલા જોખમદાર છે તેના કરતાં પણ તમારા વિચાર માટે વધારે જોખમદાર છે. કારણ કે વચન કરતાં પણ વિચારે ઘણે દૂર જાય છે, અને મનુષ્યને -ઘણી બારીક અસર કરે છે. તે મનુષ્યમાં રહેલા સત્તાગત સંસ્કારને વિશેષ પ્રેરક અને પિષક બને છે. ૧૦ બીજાના સંબંધમાં ખરાબ વાતો કરવી, નિંદા કરવી અને અછતા દેનું આરોપણ કરી તેને લેકેની આગળ
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy