SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રાર્થના કરવાને બદલે તે મહાન આત્માએ કેવું જ્ઞાન અને કેવી પ્રવૃત્તિ કરીને કમેનો નાશ કરી આત્મસ્વરૂપ પ્રગટ કર્યું, કર્મના બંધનો તોડી સ્વસ્વરૂપસ્થ થવારૂપ મેક્ષ સિદ્ધ કર્યું તે તેમના જીવંત બેધ ઉપરથી પડે લઈ તે પ્રમાણે વર્તન કરવાને તૈયાર થાઓ. ૧૭ ‘કર્મ તેવું ફળ” આ સાદા સત્યને ભૂલી જઈ લેકે ઈચ્છા પ્રમાણે ફળ મેળવવા દેવળમાં મૂર્ખાઈ ભરેલી પ્રાર્થનાઓ કરી રહ્યા છે. પ્રભુ! અમને આ આપ ને તે આપો. પ્રભુ મહાવીરે કોઈ સ્થળે એમ નથી કહ્યું કે તમે મારી પ્રાર્થના કરશે તો તમારા ભેગવવા લાયક અગ્ય કર્મમાંથી હું તમને મુક્ત કરીશ, અથવા તેને બદલે સારું ફળ આપીશ. ૧૮ તે પ્રભુએ તે ચેખું જણાવ્યું છે કે તમારો આત્મા જ સુખ કે દુઃખ, સ્વર્ગ કે નરક, ભવકે મેક્ષને કર્તા છે. જે એ પરિણામ તેમના હાથમાં હોત તો તેઓશ્રી એમજ આજ્ઞા કરત કે ભાઈઓ ! તમને ઠીક લાગે તેમ તમે વજે, પણ મારી પ્રાર્થના કરે એટલે તે ખુશામતથી ખુશી થઈને તમને તમારું માંગેલું ફળ આપીશ. ૧૯ તે મહાન પ્રભુએ તે એમ જણાવ્યું છે કે તમારે સારા ફળની જરૂરીયાત હોય તો તમારે સારા કાર્યો-કર્મો કરવાં. છતાં લેાકો રસ્તો બતાવનારને લઈ પડયા છે અને જે કરવાનું કહેવું છે. તે કરતા નથી. રસ્તો બતાવનારના ઉપર પિતાના તારણનો બેજે નાખી દઈ સંસારની વૃદ્ધિ, થાય તેવાં ઉલટાં કર્મો કરે છે. ૨૦ આ. વિ. ૨૭
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy