SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પામીએ છીએ. કર્મના ફળને દેનારી બીજી કઈ સત્તાને આશ્રય કરવાની આત્માને જરૂર નથી. ૧ અન્ય સત્તાની પ્રસન્નતા કે અકૃપા આત્માના હિતાહિતમાં આડે આવવાને શક્તિમાન નથી. આત્મા પિતાની સારી કે ખેતી પ્રવૃત્તિ વડે જે જે કારણે ઉત્પન્ન કરે છે.. તેના પરિણામને-ફળને તે અનુભવ કરે છે. આથી એ નિશ્ચય થાય છે કે આત્માને પોતાના જ અવલંબનની જરૂર છે. ૨ નિર્બળ મનુષ્યને પિતાની સત્તા શક્તિમાં વિશ્વાસ હેતો નથી, તેને લઈને તે પિતાના કરતાં કઈ મહાન સત્તાની કલ્પના કરે છે, અને તેના ચરણમાં પિતાનું મસ્તક નમાવે છે, તથા આ સંસારના દુઃખથી બચવા માટે તેની કૃપા માટે દીનપણે યાચના કરે છે. ૩ મનુષ્યના હૃદયની નિર્બળતામાંથી પ્રગટ થતી યાચકપણાની વૃત્તિ જીવને ઘણું નુકશાન કરે છે. જીવ પિતાની કપેલી મહાન સત્તા ઈશ્વરાદિ ઉપર પોતાનો બધો આધાર રાખીને તે પિતાના ભલા ખાતર પુરુષથ–પ્રયત્ન કરતો. બંધ થાય છે. ૪ પિતાના સિવાયની બીજી સત્તા ઉપર પિતાના હિતને માટે આધાર રાખવાની આ વૃત્તિ જયારે હદ ઉપરાંત આગળ. વધે છે ત્યારે તે મનુષ્યનું મુખ્ય કર્તવ્ય એ સત્તાને રાજી રાખવા તરફ જ રહ્યા કરે છે. તે તેની જ સેવા, પૂજા, ભક્તિ કરે છે અને પોતે એક સ્વતંત્ર શક્તિવાન્ આત્મા છે તે
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy