SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ છઠ્ઠીવાર ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં આવેલા શ‘ખપુર ગામમાં મહાગિરિ રાજાની ભદ્રારાણીની કુખે સિંહગિરિ નામે પુત્રપણે ઉત્પન્ન થયેા. અનુક્રમે યૌવનવયમાં આળ્યે, તેનું રૂપ સુ ંદર હતું. રાજકુમારને ચેાગ્ય સઘળી સામગ્રી પણ પ્રાપ્ત થઈ હતી. આ પ્રસંગે ધ બંધુ નામના જ્ઞાની મુનિના સમાગમ થા, તેમના ઉપદેશની અસર સારી થઈ. અનેક જન્મના સસ્કારને લીધે વરાગ્યભાવથી દીક્ષા લીધી. સાધુની સક્રિયાઓને અને ક્રમે કરી ચૌઢ પૂના જ્ઞાનના પારગામી થશે. સદાગમ સદા પાસે જ રહેતા હતા. આટલુ જ્ઞાન પહેલા કાઈ ભવમાં તેને પ્રાપ્ત થયું ન હતું'. ગુરુશ્રીએ સંઘ સમક્ષ આચાય પદે સ્થાપન કર્યાં. તે વખતે ગુણાનુરાગ અને ભક્તિના કારણે દેવાનું પણ આગમન થયું હતું આનદદાયક આચ્છવેા થયા, લેાકેાએ ખુખ પ્રશંસા કરી. ગુરુશ્રીએ પણ નાની ઉંમરમાં આટલું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્લાષા કરી. ધીમે ધીમે સ`સારીજીવ સિ’હુગિરિની પ્રખ્યાતિ વધી. વિદ્વાન શિષ્યા થયા, રાજા રજવાડામાં ફરવાથી તેઓ તરફનુ પણ સન્માન વધ્યુ. વિદ્વત્તા ભર્યા વ્યાખ્યાના સાંભળી પડિતાએ પણ સત્કાર કર્યાં. સ્વપર શાસ્ત્રોનાં રહસ્યે સંભળાવી વાદીએ ઉપર પણ વિજય મેળળ્યે, સભાઆને રજન કરવાથી તથા વાદમાં જીતવાથી દરેક દિશાઓમાં તેના યશેાવાદ ગવાવા લાગ્યા. વિરાધીઓ પણ અનુકૂળ થઈ પ્રશંસા કરવા લાગ્યા. નામ પ્રમાણે ગુણ
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy