SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ તે સબંધ ખટપટી હેવાથી ગુણધારણને આપણા વિરૂદ્ધ 'ઉશ્કેરવાને, માટે તમે બધા તેને માર્ગ રેકી લ્યો અને ગમે તે ભેગે તેના માર્ગમાં વિદન ઉભાં કરી આગળ વધતા અટકાવે. પાદિય સેનાપતિએ કહ્યું મંત્રીજી! આપણે સ્વામી કર્મ પરિણામ જ જ્યારે તેના પક્ષમાં ભળીને મદદગાર થા છે, પછી આપણે શું કરવાના હતા? કર્મ પરિણામ જ્યારે આપણું પક્ષમાં હતા ત્યારે જ આપણે આગળ બળવાન હતા. તે મધ્યસ્થ હોય ત્યારે જ આપણે તે લોકોની સામે જોરથી લડી શકીએ છીએ, પણ અત્યારે તે કર્મ પરિણામ રાજાના હુકમથી જ સબધ સંસારી જીવ પાસે આવે છે, એટલે તે પુરવેગમાં લેવાથી તેને અટકાવ કે તેના માર્ગમાં વિદન નાખવું તે કામ અશકય છે. વળી જ્યારે લડવાનું હોય છે ત્યારે તે મહારાજા તરફથી મને પ્રથમ આજ્ઞા થાય છે, આ વખતે તે કાંઈ પણ હુકમ મને મળ્યું નથી. જ્યારે કોઈને મુશ્કેલી આવવાની હોય ત્યારે પ્રથમ પાપને ઉદય થાય છે, ત્યાર પછી દુઃખની શરૂઆત થાય છે. આ વખતે તેની પાસે પુન્યને ઉદય છે, એટલે પાદિય કહે છે કે, મને આ વખતે કર્મ પરિણામ તરફથી ગુણધારણ પાસે જવાને હુકમ મળે નથી.” માટે સદુધ મંત્રીને જવા દ્યો અને દૂર રહી આપણે અવસરની રાહ જોતાં હાલ તે જે થાય તે જોયા કરો.
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy