SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યથી ભરપુર ચૌદ રાજલે પ્રમાણે તે છે. ઉર્ધ્વ, અધ અને તિર્જી એમ ત્રણ વિભાગવાળે છે. ઉર્વ લેકમાં દેવો છે. અધો લેકમાં ભુવનપતિ વ્યંતર નારકી આદિ છે. તિચ્છ લેકમાં મનુષ્ય, પશુપક્ષીઓ પૃથ્વી પણ અગ્નિ વાયુ વનસ્પતિ અને સૂક્ષ્મ જીવો આવી રહેલા છે, આ સર્વ સ્થાનમાં જુદા જુદા રૂપે જીવે જન્મ મરણ કરેલાં છે. વિગેરે વિચાર કરી ભવભ્રમણથી વિરકતતા મેળવવી. બોધિ દર્લભ–બારમી ભાવના જીવને કહે છે કે અકામ નિરાએ કર્મ લઘુતા મેળવી, નિગદથી ઊંચે ચડતાં મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમકુળ, પંચૅટ્રિયેની ની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય, એ બધું તમે મેળવ્યું. છે. પુદયને લઈને ધર્મોપદેશ આપનાર ગુરુ મળ્યા છે. ધર્મ તમે સાંભળે છે છતાં તત્વનિશ્ચય રૂપ બેષિબીજ સમ્યગદર્શનની પ્રાપ્તિ થવી જીવને દુર્લભ છે. એને વિચાર કરવો. ૧૨ આ ભાવનાઓ વડે મનને નિરંતર વાસિત કરવાથી સર્વ પદાર્થો ઉપરથી મમત્વ ભાવ ઓછો થતાં સમભાવ પાસ થાય છે. ચારિત્રધર્મ મહારાજાની આ આજ્ઞા છે, એ ઉપદેશ છે તેના આ ચારે મુખથી તે રાજા, તે નગરવાસીઓને સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત કરાવી આપે છે. વિશ્વના સર્વ કોને માટે આ ચારિત્રધર્મ મહારાજા અમૃત સમાન છે. આ. વિ ૧૮
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy