SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ તેનો તે ઉપરી છે. કર્મ પરિણામને બીજો ભાગ જે ઘણે. સારે છે, તમારા ઉપર સ્નેહ રાખનાર છે તેને ઉપરી પુણ્યદય છે. અસંવ્યવહાર નગરથી જ તે પાપોદય પ્રગટ દેખાય તેમ તમારી સાથે રહેલે હતે. ભવિતવ્યતાએ પુણ્યદયને ઓળખવાને આજ સુધી ચેકસ પ્રયત્ન તમારા માટે કર્યો જ નથી. આજ સુધી સંસારમાં તમે રખડયા અને દુઃખી થયા તે આ પાપોદયને જ પ્રતાપ છે. હિંસા, લેભ, મહાદિ તમને હિતકારી મનાવ્યા. અને પુણ્યદયા હિત કરનાર છે એ જાણવા ન દેનાર તે પાદિય છે. તમને ચિત્તવૃત્તિમાંથી હાંકી કાઢનાર અને પદભ્રષ્ટ કરનાર આ પાપેદય છે. ચારિત્રધર્મ રાજનું મોટું લશ્કર તમારા અંતરંગ રાજ્યમાં હતું તેને દાબી દઈ–ઢાંકી રાખી જેવા પણ ન દેનાર અને દુઃખદાઈ છતાં મહામેહનું લશ્કર, હિતકારક છે એમ મનાવનાર એ પાપોદય છે. પુણ્યદય તે વખતે નજીક રહેતું હતું પણ તમને પાદિયના પાશમાં પડેલા જોઈ તે તમારું હિત કરી શકતું નહતું. વચ્ચે વચ્ચે તેણે તમને સુખ તે આપ્યું છે છતાં કાયમ સુખ ન આપવામાં પુણ્યદયને દોષ નથી, પણ તે પાપદયને જ દેષ છે. ગુણધારણ કહે છે, પ્રભુ ! પાપેદય અત્યારે કેમ શાંત થઈ બેઠે છે? ગુરૂએ કહ્યું, તે પણ કર્મ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, ભવિતવ્યતા વિગેરે પર આધાર રાખનારે છે,
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy