SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ તેણે પ્રભુ સ્તુતિ કરવાનું, મુનિઓને દાન આપવાનું, નવકાર મંત્રનું સ્મરણ કરવાનું અંગિકાર કર્યું. અકલંકના પરિણામની ધારા ઘણુજ વિશુદ્ધ થવાથી માતાપિતાની રજા લઈને તેણે તે કેવિદાચાર્ય પાસે દીક્ષા લીધી. સદાગમની સેબતથી સારા સારા કાર્યો કરવાને અને ગુણેને ઘનવાહને પણ સ્વીકાર કર્યો. ત્યારપછી અકલંક મુનિને સાથે લઈ ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. મહામહની સદાગમ ઉપર ચડાઈઃ --આ બાજુ મહામહના સિન્યમાં રહેલા વિષયાભિલાષ મંત્રીના જાણવામાં આવ્યું કે, આપણે જ્ઞાનાવરણ રાજા સદાગમ તરફથી ભયમાં આવી પડે છે. તરતજ તેણે મહામહાદિને ખબર આપી કે મહારાજા ! અત્યાર સુધી જ્ઞાનાસંવરણને કોઈ પ્રકારને ત્રાસ કે ભય ન હતું, તે ઘેરાયેલા દુશ્મનને રોકી રાખવા માટે ચિત્તવૃત્તિ અટવી ઉપર ચોકી કરતો હતો અને તેને લઈને આપણે નિશ્ચિત હતા પણ હમણું સદાગમ સંસારી જીવ પાસે આવી પહોંચે છે, તેના બેધને લઈને જ્ઞાનાવરણ ભયમાં આવી પડે છે. સદાગમ આપણો બળવાન શત્રુ છે તેની ઉપેક્ષા કરવી એ એગ્ય નથી. અત્યારે તે નખથી છેદાય તે છે, આગળ જતાં કુહાડાથી પણ ન છેદાય તે બળવાન થશે માટે તેને હમણાં જ મારી હઠાવવાની જરૂર છે. વિષયાભિલાષના વચનો સાંભળી સદાગમ ઉપર બધાને ક્રોધ આવ્ય, સભામાં મેટો કેળાહળ થઈ રહ્યો. દરેક
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy