SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઉs શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ [ ૯. મોક્ષતત્વ સકળ આત્માના પ્રદેશથી, સકળ કર્મનું છૂટવું, સકળ બંધનથી મૂકાવું, સકળ કાર્યની સિદ્ધિ થાય તેને મોક્ષતત્ત્વ કહીએ. પંદર ભેદે સિદ્ધ થાય છે તે કહે છે. ૧. તીર્થ સિદ્ધા-તીર્થકરે તીર્થ સ્થાપ્યા પછી જે મોક્ષે જાય તે ગણધર પ્રમુખ. ૨. અતીર્થ સિદ્ધા - તીર્થકરે તીર્થ સ્થાપ્યા પહેલાં તથા તીર્થ વિચ્છેદ થયા બાદ જે મોક્ષે જાય તે, મરૂદેવી માતા પ્રમુખ. ૩. તીર્થંકરસિદ્ધ - તીર્થંકર પદવી પામીને મોક્ષે જાય છે, તે ઋષભાદિક અરિહંત ભગવાન. ૪. અતીર્થંકર સિદ્ધા – તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઈ મોક્ષે જાય તે. ૫. ગૃહસ્થલિંગસિદ્ધા - ગૃહસ્થના વેષે રહ્યા થકા મોક્ષે જાય તે મરૂદેવી માતા પ્રમુખ. ૬. અન્યલિંગસિદ્ધા - યોગી, સંન્યાસી પ્રમુખ તાપસના વેષે મોક્ષ જાય તે, વલ્કલચીરી આદિ. ૭. સ્વલિંગસિદ્ધા - સાધુના વેષે મોક્ષે જાય તે, શ્રી જંબુસ્વામી વગેરે સાધુ મુનિરાજો. ૮. સ્ત્રીલિંગસિદ્ધા- સ્ત્રી લિંગે મોક્ષે જાય તે, ચંદનબાળા આદિ. ૯. પુરૂષલિંગસિદ્ધા - પુરુષ લિંગે મોક્ષે જાય તે ગૌતમાદિક. ૧૦. નપુંસકલિંગસિદ્ધા - નપુંસક લિંગે મોક્ષે જાય તે ગાંગેય અણગાર પ્રમુખ.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy