________________
કરીને અન્યનું નહિ આપેલું ધન પણ ગ્રહણ કર્યું હોય. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી મૈિથુન સેવ્યું હોય, કે સેવવાની અભિલાષા કરી હોય, ધન-ધાન્યાદિક નવવિધ પરિગ્રહ સંબંધમાં જે મમત્વ ભાવ પગે હાય, તથા રાત્રિભોજન ત્યાગમાં જે કોઈ અતિચાર થયા હોય, તે સર્વની આત્મસાક્ષીએ નિન્દા કરવી જોઈએ અને ગુરુ સાક્ષીએ ગહ કરવી જોઈએ.
તપ સંબંધી અતિચારે, જેવા કે-અનશન, ઊનેદરી આદિ છ પ્રકારનો બાહ્ય–તપ અને પ્રાયછિત, વિન યાદિ છ પ્રકારનો અત્યંતર–તપ શક્તિ પ્રમાણે ન કર્યો હોય, તેની નિન્દા અને ગહ કરવી જોઈએ.
વીર્ય સંબંધી અતિચારે, જેમકે-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં મન, વચન, કાયાનું છતું બળ ગોપગ્યું હોય, વીર્યાચારનું પાલન કરનારની નિંદા–ઉપેક્ષા કીધી હોય, તેની નિન્દા, ગહ કરવી જોઈએ.
(૨) વ્રતે ચારણ. પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતે પૂર્વે લીધેલાં હોય, તે તેને ફરી ઉચ્ચરવાં જોઈએ અને પૂર્વે ન લીધાં હેય તે અત્યારે નવાં લેવાં જોઈએ.
(૩) સર્વ જીવ ક્ષમાપના. પૃથ્વીકાયાદિ ચોરાસી લાખ જીવનમાં રહેલા જીવોના અપરાધ કર્યા હોય, તેને ખમાવવા જોઈએ તથા