SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ એક જ ઉપાય લેકવિરુદ્ધ ત્યાગની ભાવનાને છે. નિન્દામાં પણ ગુણી પુરુષની નિન્દા વિશેષે ત્યાજ્ય છે. બહુજન વિરોધ, ચિત્તની સ્વસ્થતાને વધારે ને વધારે બાધક થાય છે. બહુજન વિરુદ્ધને સંગ તથા પ્રસિદ્ધ દેશચારોનું ઉલંઘન પણ બહુજન વિરોધની જેમ ચિત્ત સ્વાથ્યને બાધક છે. એ વિગેરે લોકવિરૂદ્દકાર્યો કદી પણ મારાથી ન થાઓ, એ જાતિની વીતરાગ પાસે પ્રાર્થના કરવી એ. પણ “ભવનિર્વેદ” ને સાધવાનું સાધન છે. (૫) “ગુરૂજનપૂજા –વીતરાગની પાસે પાંચમી પ્રાર્થના ગુરૂજન એટલે માતાપિતાદિ વડીલજને–તેઓની પૂજા એટલે ઉચિત પ્રતિપતિ (ભક્તિ-વિનય ઈત્યાદિ) છે. માતાપિતાદિ ઉપકારી જનેની ઉચિત પ્રતિપત્તિ જેએ કરતા નથી, તેઓ જાનવરથી અધિક નથી. કહ્યું છે કે“કાજપાનાન્નરની મન્નિા” ઈત્યાદિ. સ્તનપાન કરાવે ત્યાં સુધી માતાને માતા તરીકે માને, તે અધમ પુરુષનું લક્ષણ છે. ઉત્તમ પુરુષ જીવિતનાં અંત સુધી માતાને માતા તરીકે પૂજે છે. માતાપિતાદિ વડીલ જનને પ્રત્યક્ષ ઉપકાર જેઓ સ્મરણપથમાં રાખી શકતા નથી, તેઓ ધર્મ, ધર્માચાર્યો, ધર્મોપદેશકે અને ધર્મશાસ્ત્રકારો તરફથી થતે પરોક્ષ ઉપકાર હૃદયપટ ઉપર ધારણ કરી શકે, એ. માનવું શું વધારે પડતું નથી ? જીવમાં સ્વાર્થવૃત્તિ ભયંકર હોય છે, અને પરમાર્થ વૃત્તિ લુપ્તપ્રાયઃ હોય છે. લુપ્તપ્રાયઃ તે પરમાર્થ વૃત્તિને જીવાડવાને અને જગાડવાને સરળ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy