SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ તેર ગાથાનું તેત્ર છું અને કારના સ્મરણપૂર્વક પરમ ભક્તિથી પ્રણામ કરું છું. વળી આઠ અક્ષરવાળા મંત્રરૂપ ધરણેન્દ્ર અને જેમની કીતિ પ્રકટ થયેલી છે, એવા શ્રી પદ્માવતી દેવીને પણ હું પ્રણામ કરું છું. દશમી ગાથાને અર્થ જેમના ચરણકમલમાં સદા પદ્માવતી અને ધરણેન્દ્ર વસે છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી બધી જાતનું સપનું ઝેર નાશ પામે છે, અર્થાત્ ઉતરી જાય છે. અગિયારમી ગાથાને અર્થ કાર અને હોંકાર રૂપ તથા તમામ પ્રકારના વિષેનું હરણ કરનાર એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિદ્યા અને મંત્ર વડે ધ્યાન ધરવું. વળી ધરણંદ્ર અને પદ્માવતીદેવીનું “ છૂ કર્યું સ્વાહા” એ મંત્રથી આરાધન કરવું (એટલે સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે). બારમી ગાથાને અર્થ કે ધરણેન્દ્ર અને પદ્માવતીના નામથી યુક્ત એવી નાગિણી વિદ્યા જ્ય પામે. વિમલ ધ્યાનથી સહિત નીચેને મંત્ર સદા રમર : “ હું ફર્યું સ્વાહા ” આ સ્તંત્ર પરત્વે વિશિષ્ટ યંત્ર-મંત્રો જોવામાં આવ્યા નથી, એટલે તેમાં જે મંત્રોને ઉલ્લેખ કર્યો છે, તે જ વિશેષ પ્રકારે મરવા ગ્ય છે, એમ સમજવું.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy