SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અગલ અને અભિધેય છે. હું જિનાત્તમ શાંતિનાથ ! તમારું નામ–મરણ પણ એવુ જ છે. ’ જેમનુ નામ આટલું પ્રભાવશાળી હાય, તેનાં દન -પૂજન આદિનુ તે કહેવું જ શું? શ્રી જિનેશ્વર દેવનાં ભક્તિભાવે દર્શન-પૂજન કરતાં ચક્ષુ તથા મન પવિત્ર થાય છે અને સર્વ પાપા નાશ પામે છે. વળી એ વખતે અપૂર્વ ઉલ્લાસ જાગે તેા સ્વર્ગ કે મેાક્ષનાં દ્વાર ઉઘડી જાય છે. જિનાપાસના નામના ગ્રંથમાં અમે આ વસ્તુ અંગે વિસ્તૃત વિવેચન કરેલ છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જોઈ લેવુ. અહી એટલી વાત ધ્યાનમાં રાખવી ઘટે કે શ્રી જિનેશ્વરદેવના શાસનની રખેવાળી કરતા દેવાને શાસનદેવ કહેવામાં આવે છે. તે શ્રી જિનેશ્વરદેવની અનન્ય ભાવે ભક્તિ કરનારને ઘણી સહાય કરે છે અને તેમના વિવિધ મનારથાની પૂર્તિ કરે છે. આવા અનુભવ ભૂતકાળમાં ઘણાને થયા છે અને આજે પણ થાય છે, એટલે તેમાં કોઈ સન્દેડ રાખવા જેવેા નથી. હવે જે મંત્ર દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યુ છે, તે અંગે કેટલુંક વિવેચન કરીશું. ૐ દૂધ ડ્” શ્રી પાર્શ્વનાથાય નમઃ' આ શબ્દ સંચાજનને મત્ર કહેવાનુ કારણ એ છે કે તે વારંવાર મનન કરવા ચાગ્ય છે, અથવા તેા તેનું મનન કરતાં વિવિધ પ્રકારના ભયેામાંથી ત્રાણુ સાંપડે છે, અથવા તે તે એક દેવાધિક્તિ અક્ષરરચના છે.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy