SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલને વિપુલ સંસાર ૨૮૩ એક દિવસ રાજા દરબાર ભરીને બેઠા હતા. તેવામાં કેઈક માણસ આવીને એક અતિ સુંદર તેજીલે ઘેડે ભેટ આવે. તેણે કહ્યું કે હરણ જે ગતિવાળે આ ઘડે દોડે છે. ત્યારે પવનવેગે ઊડે છે. રાજને પિતાને ઘોડેસ્વારીમાં બહ અનુભવ ન હતું તેથી વિચાર્યું કે પરીક્ષા કરવા જતાં મારી બીનઆવડત છતી થઈ જશે તેથી પેલા માણસે જે વાત કરી તે સ્વીકારી લીધી. મોટે ભાગે વૃદ્ધ પિતાનાં અનુભવથી વાત તરતજ સમજી જાય છે. એટલે કે ઈ અન્ય મારફતે તેની પરીક્ષા કરવી જોઈએ. એમ માની તે ઘેડા ઉપર પલાણ નાંખ્યું. અને રાજાની આજ્ઞા લઈને ધમ્મિલ તૈયાર થઈ ગયો. મુસા ફરને વેશ ધારણ કર્યો અને પુખેથી વાળને અને પગની એડી અડકાડતાંજ પવન વેગે ઉડવા લાગ્યા અને જેત જોતામાં તો સૌની દષ્ટિથી અંતર્ધાન થઈ ગયે. બીજા કોઈ જાનવરની તાકાત નહોતી કે જે તેની પાછળ દોડીને તેને આંબી શકે એટલે સો તે દિશામાં ઘણો વખત જોતાં ઊભા રહ્યા. છેવટે સૌ છૂટા પડયા. આ બાજુ આ ઘોડો ધમિલને એક નિર્જન જંગલમાં લઈ ગયે અને થાકીને નદી કિનારે જઈ ઊ રહ્યો. તેથી ધમિલ ત્યાં ઉતર્યો. પલાણ ઉતારી લીધું અને નવીન સુંદર ભૂમિ ઉપર ફેરવવા લાગે. એમ ફરતાં ફરતાં તેણે એક વૃક્ષની સાથે લટકતી સેનાની મુઠ ઉપર હીરા જડીત તલવાર જોઈ. તેને આશ્ચર્ય થયું કે આવી તલવાર અહીં
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy