SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ધમી ધમ્મિલકુમાર ૨૦૦ જે માણસેા નિરપરાધી મૂંગા પ્રાણીઓને મારે છે. તેમની હિંસા કરે છે તે મહાપાપ છે. કાઇ પણ જીવ ચાહે તે પ્રાણી હાય યા જતુ હાય. તેનું રક્ષણ કરવાથી જે પુણ્ય થાય છે તે લાખ્ખા રૂપિયાનું દાન દેવાથી પણ મળતું નથી. જીવદયા સંપૂર્ણ પણે પાળવી એ સ ંસારીએ માટે કઠીન છે માત્ર સાધુ-મિતરાજો જ પાળી શકે છે. પરંતુ તેમનાં ચરણની સેવા કરનારા ગૃહસ્થી અમુક અંશે જરૂર પાળી શકે છે. જેએ જાણતા અજાણતા પણ કદી જીવ હિંસા કરતાં નથી. અસત્ય ખેલતા નથી ચારી કરતાં નથી. મૈથુન સેવતા નથી. અને પરિગ્રહમાં લેાલુપતા રાખતા નથી એવા તેા માત્ર જૈન મુનિરાજો જ હોય છે. ધનુ રહસ્ય મુનિરાજ પાસેથી સાંભળ્યા બાદ તેણે બીજો પ્રશ્ન પૂછ્યા કે હે મુનિરાજ ! આપ છ એ મુનિઓ યુવાન છે, સ્વરૂપવાન છે તેા કયા કારણથી વૈરાગ્ય પામ્યા અને દિક્ષા ગ્રહણ કરી તે કહેશે ? મુનિરાજ હસતાં હસતાં બાલ્યા હે વત્સ આ સ'સારમાં એવી કઈ ચીજ છે કે જેના કારણે બૈરાગ્ય ન થાય ; જેવી રીતે પતના રાગીનું કોઇ અંગ સધુ` હતુ` નથી તેમ સંસારમાં કંઇ સાર નથી. દરેકને કોઇને કોઈ કારણથી વૈરાગ્ય થાય છે. દરેક માટે એક સરખાં કારણેા હોતા નથી. અમારા વૈરાગ્યની વાત સાંભળ. હાથીઓથી ભરેલું એવું વન વિંધ્યાચલ પર્વત ઉપર આવેલુ છે. તેમાં દેવલેાક જેવી એક પલ્લી છે. તેમાં ભીલ લાકે રહે છે. માંસાહાર કરીને ગુજરાન ચલાવે છે. ચામ ડાના કપડાં પહેરે છે. ગુફાઓને ઘર માની તેમાં રહે છે.
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy