SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ધમ ધમ્મિલકુમાર આ સાંભળી બ્રાહ્મણ બહુ ખેદ પામ્યા. તેની પિતાની જન્મથી આજ સુધીની તમામ વાત યાદ આવી. કલ્પાંત કરવા લાગ્યા. અને સમાજ, સંસાર અને સગાંસ્નેહીઓથી ત્રાસીને જંગલમાં જઈને એક ઝાડનીચે બેસી છૂટે એ રડી પડશે. જીવન પ્રત્યે નફરત જાગી સંસાર પ્રત્યે અભાવ જાગે. એજ સમયે કોઈ મુનિ મહારાજે તેને જે. પિતાની પાસે બોલાવી શાંતિપૂર્વક પૂછયું કે- ભાઈ ! તું કેમ રડે છે? શું થયું છે? રડવાથી કશું વળે નહિં. જે બન્યુ હોય તે કહે. બ્રાહ્મણે પોતાની આપવીતી કહી સંભળાવી. મુનિએ શાંત્વન આપ્યું અને સમજાવ્યો ભાઈ ! હિંમત રાખ રડ નહિં. જે થવાનું છે. તે કદી મિથ્યા થતું જ નથી. રડવાથી કઈ વળતું નથી. ત્યારબાદ બ્રાહ્મણ શાંત થયે. કસ્ય લક્ષ્મી સુતાઃ કસ્ય, કસ્ય વેશ્યતિચિંતય ! તતિ યાતિ ચાત્માય, મેકએવ ભવ ભવું છે મુનિએ ઉપદેશ આપવા માંડે, હે જીવ! ખૂબજ શાંતચિત્તે વિચાર કર, કે કોની લહમી? કેનું ઘર? કેના પુત્રો? કેની પુત્રી ? કેની પત્નિ? અરે ! આ સંસાર ક્ષણભંગુર છે. કેઈ કોઈનું કેઈ નથી. આ આત્મા આ સંસારમાં એકલો જ આવ્યું છે. અને એકલેજ જવાને છે. કઈ ચીજવસ્તુ સાથે આવવાની નથી. કેણ છે મારું ને કેણ છે તારૂ, નાહક કરતે મારું મારું, જાણીલે જીવડા કેઈન તારૂં, આંખ મીંચાતા થાશે અંધારૂ.
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy