SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૭૩ આ ચારેય પ્રશંસા કરવા જેવા પદાર્થો કેટલીકવાર અપ્રશસ્ત બની જતાં હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત વચ્ચેની લક્ષ્મણરેખા. એટલી બધી પાતળી હોય છે. કે તે ઝટ ખ્યાલમાં આવતી નથી. બીજાને પમાડવાની બુદ્ધિથી થતા જિનભક્તિ મહોત્સવ વગેરેમાં જે પોતાના માનાદિ કષાયથી મલાઈ મેળવી લેવાની જ બુદ્ધિ પડેલી હોય. તે બીજાને પમાડતે મહોત્સવ પિતાના માટે તે અપ્રશસ્ત જ કહેવાય ને! પદવી નહિ લઈએ તે આપણને ગ્ય સ્થાને બેસવા નહિ મળે, આપણાથી નાની દીક્ષા પર્યાયવાળા આપણી આગળ બેસી જશે. આવા વિચારમાત્રથી જે પદવીઓને લેભ થતું હોય તે પ્રશસ્ત એવી પદવીઓ આપણું માટે તે અપ્રશસ્તમાં રૂપાંતર પામી ન કહેવાય ? પોતાનું શાસન સારી રીતે ચાલે અર્થાત્ રસ્તામાં ઉપાધિ ઉપાડી લેનારો મળે, કાપ કાઢી આપનારો અને ગોચરી લાવી આપનારે મળે એવી જ માત્ર લાગણી શિષ્ય કરવા પાછળ હોય તો શાસનની અવિચ્છિન્ન પરંપરા ચલાવવા માટે શિષ્ય સંપત્તિ કરવા માટેની જે શાસ્ત્રકારોની આજ્ઞા છે તે આજ્ઞા દ્વારા શિષ્ય કરનારાઓને આ શિષ્ય નામને પદાર્થ તે અપ્રશસ્ત બની ન ગયે કહેવાય શું? વીર પ્રભુના શાસનની વાત કરતા વ્યાખ્યાનેની પાછળ પિતાના ભક્ત-ભક્તાણીઓ, ગેચરી-પાણી, પોતાના માન કષા આદિ પિષવાની લાગણી જ પડેલી હોય અને તે
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy