SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૩૮ ) અનેક અસુરાની સાથે પ્રથમની સ્મૃત્તિમાં સ્થાન કરીને રહ્યો. જાવડશાહ મૂર્તિને બહાર કાઢવાની બુદ્ધિએ ઉપાડવા ગયા, પણ મૂર્ત્તિ નહિ ઉપડવાથી વાસ્વામીએ વાસક્ષેપ મંત્રી મૂર્ત્તિ ઉપર પ્રક્ષેપ કરવાથી અસુરાનું બળ નષ્ટ થયુ ંને સ્તભિત થઇ ગયા. એટલે જાવડશાહ વર્ણ ભ્રષ્ટ અને જીણું થયેલી આ પ્રથમની મૂર્ત્તિને બહાર લાવ્યા. જાવડશાહને ઉપદ્રવ કરવાને અશકત અસુરા મૂર્તિને બહાર કાઢવાથી હાહાકાર કરવા લાગ્યા, પાકાર કરવા લાગ્યા. એ પેાકારથી અધુ બ્રહ્માંડ હલમલી રહ્યું. એ ગર્જનાથી આકાશ પણ ધમધમી ઉઠયું. ભયંકર પાકારથી ખેંચી અને દિગ્ગજો પણ ભય પામીને પલાયન કરી ગયા. પર્વતા સહિત પૃથ્વી કપાયમાન થઈ ગઈ. હાથી, સિંહ, મનુષ્યા વિગેરે પણ મુચ્છો પામી ગયા. પ્રાસાદો, દિવાલા અને વૃક્ષેાપણ જમીન ઉપર સ્થિર રહી શક્યાં નહિં. એ અસુરાના ભયંકર પાકારરૂપી ગર્જનાથી ગિરિરાજના પણ ઉત્તર દક્ષિણ બે ભાગ થઇ ગયા. અસુરાના આ બધા ઉત્પાતથી જાવડશાહ એમની પત્ની અને વજાસ્વામી સિવાય સકલસંઘની દુર્દશા થઈ ગઈ. બધાય મરેલાની માફક ભૂમિ ઉપર આળેાટતા જડ જેવા થઇ ગયા. સકળસ ંઘની આવી સ્થિતિ જોઇને વજીસ્વામીએ પ્રેરેલે નવા કપદી હાથમાં વજ્ર લઈને અસુરે ઉપર દોડ્યો, પેતાના સ્વામીને યુદ્ધમાં જતો જોઇને એના સેવકા પણ અનેક પ્રકારનાં આયુધેા નચાવતાં અસુરા ઉપર દોડ્યા.
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy