SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૫) સૌરાષ્ટ્રમંડલમાં સીધે રસ્તે આવતા જાવડશાહ માણએના મેટા સમુહ સાથે મધુમતી લગભગ આવી પહોંચ્યા. સારાય સૌરાષ્ટ્રમંડલના લોકો–મહાજનવર્ગ એમને સત્કાર કરવાને ભગવાનનાં-એ અભૂત પ્રતિમાનાં દર્શન કરવાને મધુમતી મંડલમાં આવી પહોંચ્યા. મધુમતીના લેકે પણ સામૈયું કરવાને તૈયાર થયેલા હતા, મેટી ધામધુમથી જાવડશાહનું એ પ્રતિમાનું-ભગવાનનું સામૈયું થયું. અનેક પ્રકારનાં વાજિંત્રના નાદ થવા લાગ્યા, સ્ત્રીઓ મધુર કંઠે પ્રભુનાં ગીતો ગાવા લાગી, ભાટ ચારણે અનેક પ્રકારે ભગવાનની અને એ જાવડશાહની બિરૂદાવલી બોલવા લાગ્યા. મોટાઓનો આશ્રય લેવાથી નાનાઓ પણ મોટાઓની માફક પૂજાય છે. ભગવાનને લીધે ભગવાનના ભક્ત પણ જગતમાં પૂજાને પાત્ર બને છે એવી રીતે જાવડશાહ પણ ભગવાનને લીધે સર્વને સત્કારવા યોગ્ય થયા. બે ગાઉ છેટેથી જાવડશાહનું સામૈયું થયું. લગભગ બાર બાર વર્ષે જાવડશાહ પોતાની રાજધાનીમાં–પિતાને વતન આવતા હતા. અનાર્ય દેશમાંથી એમણે બાર વર્ષે પાછે સૌરાષ્ટ્રમાં પગ મુક્યો હતો, એ બાર બાર વર્ષમાં સમય કંઈ નવાજુની કરી નાખે છે. જ્યારે તેની સેંકડો ભાલાની અણુઓમાં જાવડશાહ ઘેરાઈ ગયા તે વખતે તેમના પુત્ર જોજનાની ઉમર પંદરેક વર્ષની હતી. આજે એમની સાથે પુત્ર પણ ભવન વયમાં હાલી રહ્યો હતો. એ
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy