SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યમાં એક રમણીય કમળ, કે જેની આજુબાજુએ નાનાંમોટાં અનેક કમળ શોભી રહ્યાં છે એવા કમળ ઉપર નિવાસ કરનારી તે લક્ષ્મીદેવી ? અનેક દેવતાઓ અને દેવાંગનાઓની મીઠાશભરી સેવાઓને ઝીલનારી ! જીનેશ્વરની સેવા કરવામાં ખુબ ભક્તિ બતાવનારી !” છતાં આપણું સન્મુખ નજર પણ નહિ કરનારી એવી એ!” પુરૂષ વાત કરતો હતો તેની વચમાં ધીરજ નહિ રહેવાથી સ્ત્રીથી એટલું બોલી જવાયું. “હશે, જવા દો એ વાત, કઈ દિવસ અવશ્ય સામુ જોશે, જેમ સુખ ભેગવવાની આતુરતા હોય છે તેમ દુઃખ સહન કરવાની પણ શક્તિ મેળવવી જોઈએ.” પણ એ માટે કાંઈ ઉપાય તો કરવો જોઈએ, શું કરીયે કે જેથી ગયેલી લક્ષમી પાછી આવે, શું કરીયે કે જેથી દારિદ્રય સભાગ્યના રૂપમાં પલટે, શું કરીએ કે જેથી મરી ગયેલી મહત્તા પુનર્જીવન પામે!” | ગુમ થયેલી સમૃદ્ધિ મેળવલાને અતિ આતુર થયેલી રમણને જવાબ મળ્યો. “ધર્મ?” એ ધિરજવંત પુરૂષ દુઃખી છતાં સિમત કરતાં જણાવ્યું. એ પુરૂષ તે વિક્રમની પહેલી સદીની શરૂઆતમાં થનારે વિક્રમને સમકાલીન ભાવડશાહ ! અને તેની પત્રી સૌભાગ્યવંતી અથવા ભાગ્યવતી ! - ૨
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy