SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવતા જ રાખવામાં તરત એને ( ૨૦૧) પરણીને સાસરે જાય છે ત્યારે ત્યાં રહેતા નથી. અલ્પકાળમાંજ એ સ્થિતિમાં પરિવર્તન થઈ જાય છે, પણ સુશીલા (જયમતી) તે પતિ સાથે સ્વર્ગનાં સુખ અનુભવતી હતી. એના ફળરૂપે જાવડશાહને એક પુત્ર પણ થયા, પુત્રનું નામ જાજનાગ રાખવામાં આવ્યું હતું. ' સ્ત્રીઓને પિયર કરતાં સાસરે જુદે જ અનુભવ થાય છે. તદ્દન અજાણ્યા માણસોના પરિચયમાં આવવાથી એને પોતાના સ્વભાવમાં ફેરફાર કર્યા વગર છુટકે જ નથી થતા, અહીંયા એને બધાયના સ્વભાવ સાચવવા પડે છે, તેમાંય એના નસીબે સાસુ, નણદે સારી હોય, એને ચાહનારી હોય તો એ સંસારનું નાવ સારી રીતે ચાલે છે, પતિપત્નીને જે મેળ આવે તો તે વળી એ સુખની વાત જ શી ! પણ સાસુ નણંદ જે નવી આવનારી વહુને ગુલામડી ગણવા મથતી હાય, એક ચાકરડી સરખી લેખવતી હોય, એની તરફ હુકમે ઉપર હુકમો છોડતી હાય, વારે વારે એના દોષ પ્રગટ કરી ભવાંતરનું વેર લેવાનેજ તૈયારી કરતી જણાતી હિય તે જોઈ લ્યો એ નવી આવનારીની કમબખ્તી ! એ અનેક પ્રકારની અવનવી આશાઓમાં વિહરનારીની દશા ! સુશીલાને તે પિતાના કરતાં સાસરે અધિક માન સન્માન હતાં, સાસુ સસરા હવે તો વૃદ્ધ થઈ ગયેલા એટલે સાસુજીયે પિતાને બધોય ભાર સુશીલાને ભળાવી દીધો. તે
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy