SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૩) હિંસાથી મેળવેલા દ્રવ્યની માફક અસત્ય, ચેરી, વિશ્વાસઘાત અને મહાકાલેશથી મેળવેલા એ પાપપૂર્ણ દ્રવ્યની તે સમાલોચનાજ શી કરવી ? અનેક પ્રકારના કુડ કપટ અને દગોફટકાથી, લોકોની સાથે ઠગાઈ કરવાથી, બીજાઓના ત્રાસથી જે દ્રવ્ય મળેલું છે, પારકી થાપણ ઓળવી જેમણે અનેક નિરાધારનાં દીલ બાળ્યાં છે. આંસુ પડાવ્યાં છે, એમના અંતરના આર્તનાદ લીધા છે એવા દ્રવ્યથી ભલે બે ઘડી તે પિતાને દ્રવ્યવાળે માને પણ એવા અનર્થકારી દ્રવ્યથી બીજાને તો શું પણ એને પિતાને પણ સુખ ન થાય. એ દ્રવ્યથી ખુદ પિતાને પણ સંતાપ થાય, અથવા ખાટલે પડી ખાવા વખત આવે, માટે હિંસા, ચેરી, વિશ્વાસઘાત અને ઠગાઈ આદિ દોષોથી રહીત, ન્યાયપાજીત અને પ્રમાણિ તાથી મેળવેલ દ્રવ્ય તે જ સાત ક્ષેત્રમાં વાપરવાથી મહાન લાભ કરનારૂં ને અનર્થને નાશ કરનારું છે. ધર્મ અને અર્થની વ્યાખ્યા થઈ. હવે રહ્યો કામ. જાતિ સ્વભાવને જે ગુણ છે તે ગુણો ધરનાર, એ કાળ ક્ષણ માત્રમાં અન્ય ઇંદ્રિયના વિષયને લેપ કરી નાંખે છે એવા એ કામનું જ નિરંતર સેવન કરવું એ પણ અનર્થકારી છે. ત્રીજા પુરૂષાર્થ રૂપ સાગરમાં મગ્ન રહેવાથી પાંડવના પિતામહ વિચિત્રવીર્ય જેવા પણ ક્ષય રોગના ભેગી થયા. એકાંતે વિષયમાં જ મસ્ત રહેનારા સત્યકી ૧૩
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy