SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરની ગાથામાં વ્યાપક રીતે રહેલાં પુદ્ગલો કયા કયા પ્રકારનાં છે તે માટે શબ્દ, કેક વિ અંધકાર વગેરે નામો આપ્યાં છે. ગાથા અર્થ–શબ્દ-ધ્વનિ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ-તડકો, આ છે તે તે વસ્તુઓ પુદ્ગલ સ્વરુપ છે. પુદ્ગલ એટલે દ્રવ્ય-પદાર્થ છે, એ નિર્વિવાદ જણાવ્યું. પદાર્થ : હોવાથી તેના સ્કંધો-જથ્થાઓ પરમાણુઓ એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમનાગમન કરી શકે છે. તે ક બીજાં કેટલાંક અજૈન ધર્મશાસ્ત્રો શબ્દને આકાશનો ગુણ માનતાં હતાં પણ ફોનોગ્રાફ શોધાયું છે 2. અને તેમાં શબ્દો પકડાયા અને સ્થાયી થયા ત્યારે સત્ય સમજાયું. એ રીતે જ તેઓ અંધકારને પ્રકાશનો અભાવ કહેતા હતા. જ્યારે જૈનદર્શન અંધકારને પ્રકાશના અભાવરૂપ નહીં પણ સ્વતંત્ર તે દ્રવ્યરૂપ માનતું હતું એટલે જ ફ્રાન્સના વૈજ્ઞાનિક ઓલીવરલોજે જાહેર કરેલું કે હું અત્યારે એવા કે ક પ્રયોગો કરું છું કે જો તેમાં સંપૂર્ણ સફળ થઇશ તો ધોળા દિવસે આખી દુનિયાને અંધકારમાં ક ડુબાડી દઇશ. આ ત્યારે જ બને કે જ્યારે તે વસ્તુ-પદાર્થ ચીજ હોય. છાયા એટલે સમગ્ર કે તે વસ્તુનું પ્રતિબિંબ. જડ કે ચેતન નાની કે મોટી કોઇપણ વસ્તુમાંથી છાયાનાં સાદા કે રંગીન : કી તરંગો મોજાંઓ સતત નીકળતાં જ હોય છે. તરંગો હોવાથી તેને પકડી શકાય છે એટલે જ - રેડિયો, ટેલિવિઝન શક્ય બન્યાં. આ બધાં એકથી વધુ પરમાણુઓનાં બનેલાં સ્કંધો-જથ્થારૂપે કે તું હોય છે. શબ્દ પુદ્ગલ છે અને તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ આવી શકે છે. તેનો છે અનાદિ-અનંતકાળ સુધી જીવંત રહેનારો શાશ્વત દાખલો આપું. જૈનધર્મમાં દરેક મહાકાળમાં ચોવીશ ચોવીશ તીર્થકરો થાય છે અને દરેક તીર્થકરના જન્મ, દીક્ષા વગેરે પ્રસંગોની ઉજવણી દેવોને કરવાની હોવાથી ઈન્દ્ર મહારાજા દેવોને આમંત્રણ આપે છે ત્યારે વિમાનો કરોડો-અબજો માઇલ દૂર દૂર રહેલાં હોય છે. અસંખ્ય વિમાનોને ખબર શી રીતે આપવા? એટલે ઇન્દ્રનાં મુખ્ય વિમાનમાં શાશ્વતી “સુઘોષા' નામની મહાઘંટા છે. એ ઘંટા | 2ઇન્દ્ર પ્રથમ તેના અધિકારી હરિસેગમેષ દેવ પાસે વગડાવે અને પછી સંદેશો પ્રસારિત કરાવે. as હરિëગમેલી જોરથી મહાઘંટા વગાડે છે. સૌધર્મના મહાવિમાનમાં અવાજ શરૂ થતાંની સાથે જ 3. લાખો-કરોડો માઇલ દૂર દૂર રહેલાં અસંખ્ય વિમાનોની અસંખ્ય ઘંટાઓ એક સાથે જ વાગવા 25 માંડે છે. દેવોને આ રિવાજની ખબર હોય જ છે એટલે બધા સાવધાન થઈ જાય છે. શાંત થઇ જાવ, સાંભળો, સાંભળો, તે પછી ઇન્દ્ર આપેલો સંદેશો ઘંટા પાસે ઊભા રહી દેવ બોલે એ છે કે-“જગતનાં જીવોનું કલ્યાણ કરવા તીર્થંકર પરમાત્માનો જન્મ ભારતમાં થયો છે એની તે ઉજવણી કરવા હું મેરુપર્વત ઉપર જાઉં છું. જેને ભક્તિનો લાભ લેવો હોય તે જલદી આ આ સંદેશો અસંખ્ય દેવ-દેવીઓ સાંભળે છે. - હવે અહીં સમજવાનું એ છે કે એક વિમાનથી બીજાં વિમાન વચ્ચે નથી દોરડું કે તાર, ફક્ત ખાલી અવકાશ જ છે, છતાં ઘંટાના મહાનાદ પાસે ઊભા રહીને બોલાતો સંદેશો સહુ તે સાંભળે છે. રેડિયોની શોધ તો આ સૈકામાં થઈ પણ શાસ્ત્રમાં તો આ બાબત અનાદિકાળથી માં પડેલી જ છે. જ્યારે વિજ્ઞાને વિદ્યુત્ શક્તિ વગેરે અનેક સાધનો દ્વારા આજે શાસ્ત્રોક્ત પુરાણી વાતને સાચી કરાવી આપી છે. ============s[ ૬૫ ] ===============
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy