SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ અને દિગમ્બરોમાં ચાર ઉપરાંત વીશ હાથવાળી મૂર્તિઓ બનેલી છે. વીશ હાથવાળું દેવી સ્તોત્ર છે. છે પણ મળે છે. દેશમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનાં મંદિરો સૌથી વધુ એટલે પદ્માવતીજીની મૂર્તિઓ છે પણ વધુ. પાલીતાણાના ગિરિરાજ ઉપર નવ ટૂંક અને દાદાની ટૂંકમાં એકથી વધુ મૂર્તિઓ પદ્માવતીજીની છે. પહાડની ભૂમિ પવિત્ર અને શુદ્ધ હોય છે, અને ત્યાં શક્તિઓનો વાસ વધુ હોય છે છે. તેમજ ત્યાં કરેલી સાધના શીઘ્ર ફળે છે. માતાજીનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર આવા સ્થળે શક્ય બને છે છે, માટે ત્યાં વરસો પહેલાં યતિઓ દ્વારા છાલાકુંડ પાસે માતાજીનું મંદિર બન્યું છે. દેવ-દેવીઓનાં ! ૧૦૮ નામનાં સ્તોત્રો આવે છે, પણ ૧૦૦૮ નામનાં સ્તોત્રો બહુ જ ઓછાં રચાયાં છે એમ છતાં મા પદ્માવતીજીના જીવતા જાગતા પ્રભાવને કારણે ભગવતી શ્રી પદ્માવતીજીનાં ૧૦૦૮ નામનું છું સ્તોત્ર પણ રચાયું છે. આ સ્તોત્રમાં ઘણાં ઘણાં વિશેષણ સમજવા જેવાં છે. તેમાં શક્તિઓને જૈન છે. અજૈન સ્તોત્રોમાં મુમુપ્રિટી તરીકે પણ વર્ણવી છે, એટલે તે ભૌતિક-આધ્યાત્મિક સુખ આપી છે મુક્તિમાર્ગની સહાયક, કર્મક્ષય કરાવનારી જણાવીને બાહ્ય-આત્યંતર બન્ને રીતે સહાયક થનાર છે તરીકે જણાવી છે. ૧૯-૨૦ના સૈકામાં યતિઓ (ગોરજી) જયારે મોગલો-પેશવાઓની અંદર અંદરની લડાઈઓ અને નાનાં-મોટાં યુદ્ધો ખૂબ ચાલતાં હતાં તે વખતે જૈનશાસન અને પોતાની રક્ષા માટે શું ચાર-પાંચ જાતના દેવ-દેવીની સફળ સાધનાઓ કરતા હતા, અને દેવ-દેવીઓનો સાક્ષાત્કાર પણ છે કરતા હતા. તેમજ સિદ્ધ થયેલી સાધના દ્વારા ચમત્કારો બતાવી વિરોધી ઈસ્લામી રાજાઓ, અધિકારીઓ તથા હિન્દુ રાજાઓ, અધિકારીઓ અને વિરોધી વ્યક્તિઓ વગેરેને વશ કરતા હતા. હું છે એને લીધે યતિઓ જૈન મંદિરોની ભારે રક્ષા કરી શકયા હતા. એમની સાધનામાં એવું સમજાયું છે કે ભગવતી શ્રી પદ્માવતીજીની સાધના પ્રધાનપણે હતી. એના પુરાવામાં પાલીતાણા, મુંબઈ, તે પૂના અને બીજાં કેટલાંક સ્થળોમાં, ઉપાશ્રયમાં, મંદિરોમાં આજે વિદ્યમાન પદ્માવતીજીની આરસની શું મૂર્તિઓ સાક્ષી પૂરે છે. દેવીઓમાં સહુથી વધુ ઉપાસના પદ્માવતીજીની જોવા મળે છે : આ કાળમાં સાધકોને પદ્માવતીજીના શીઘ્રફળા તરીકે સફળ અનુભવો થતાં હોવાથી ચતુર્વિધ સંઘની અંદર એમની ઉપાસનાનું પ્રમાણ વર્તમાનમાં ખૂબ વધ્યું છે. એમની નામઉપાસના, એમનું દર્શન, વંદન, પૂજન વગેરે દ્વારા ઉપાસના કરનારને ઈષ્ટની સિદ્ધિ, સફળતા અને સુખશાંતિ જરૂર પ્રાપ્ત થાય છે. આ સેંકડો સાધુ-સંતો અને ભક્તોના અનુભવની વાત છે એટલે માતાજીની સાધના વ્યકિત, સમાજ યાવત્ રાષ્ટ્રના હિતમાં છે. પૂજાઓ રચનાર પૂ. પં. શ્રી વીરવિજયજી અને મા ભગવતીજી : જૈનસંઘમાં દહેરાસરોમાં પૂ. પંડિત શ્રી વીરવિજયજી કૃત અષ્ટપ્રકારી પૂજા જોરશોરથી મણાવામાં આવે છે. આ પૂજા ભક્તિભાવ અને કાવ્યરચનાની દૃષ્ટિએ શ્રેષ્ઠ કોટિની થાય એ જ * ": સાચુંપણે પાળી ન શકવાના કારણે જેઓ શિથિલાચારી બને છે તેઓ જતિ-ગોરજી કહેવાય. *--&-~> છુe-->+9---૩૬ ૩૪ 3 1 we --> $---------- --
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy