SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચિત્રાવલીમાં ૨૪ મા પાને જમણી બાજુએ સિદ્ધચક્ર યંત્રનો નાનો બ્લોક છાપ્યો છે. હું રોની જેમ દિગમ્બર સંપ્રદાયમાં સિદ્ધચક્રના ગઢા બનાવવાની પ્રથા છે. આપણા મંદિરમાં શું કઈ સ્થળે આવો સિદ્ધચક્રનો ગટ્ટો જોવા મળે છે. એમાં સિદ્ધચક્રના બધા ખાનામાં અનાહત ! (અનાહતથી અહીં યોગ્ય સંખ્યાના વર્તુલો) સહિત ૐ હું ની આકૃતિઓ મૂકવાની પ્રથા છે. એ આકૃતિ કેવી હોય છે તેનો ખ્યાલ આપવા અને આ વિષયના જ્ઞાતાઓ એના મર્મને-રહસ્યને શું સમજી શકે તેથી તેની આકૃતિ ચિતરાવીને અહીંયા મૂકી છે. આ એક વિશિષ્ટ પ્રકારે કરાએલું છે ચિંતનીય આલેખન છે. આ ચિત્રાવલીમાં ૨૫ માં પાને ઋષિમંડલ સ્તોત્રના પહેલા અને બીજા શ્લોકનું અર્થઘટન છે સાથે ચિત્ર આપ્યું છે. એ ચિત્ર ખાસ મહત્ત્વનું છે અને તેનો પરિચય પ્રારંભમાં આપ્યો છે તે જોઈ લેવો. અંદર છાપેલાં ચિત્રોનો સંક્ષિપ્ત પરિચય ૧. માતૃકા અક્ષર જેનું બીજું નામ ગુજરાતીમાં બારાખડી અથવા કક્કો કહેવાય છે. જેમાં ૧૬ સ્વરો અને સામાન્ય રીતે ૩૩ વ્યંજનો છે. જેમાં અક્ષરનું ઘણું મહત્ત્વ છે. કોઈપણ છે. અક્ષરને ‘મહાપ્રાણ' સંજ્ઞા મળી હોય તો હું ને જ મળી છે. મહાન મંત્રબીજ ગઈ માં પણ છે * પ્રધાનવર્ણ માત્ર ' છે. ઋષિમંડલનો મૂલમંત્ર (આઠ) ૪ બીજપ્રધાન છે. ન્યાસ એટલે સ્થાપના. જાપ કે વિશિષ્ટ પૂજનની ક્રિયા કરતાં પહેલાં તંત્ર શાસ્ત્રનો આદેશ છું છે છે કે જાપ દરમિયાન બહારના મુદ્ર દેવદેવીઓ દ્વેષબુદ્ધિથી, કુતુહલ વૃત્તિથી, વિરોધ દષ્ટિથી જાપ, પૂજા અને ક્રિયામાં ભંગાણ ન પાડે તેમજ શરીરની અંદર નાના મોટા કોઈ વ્યાધિ કે જે ઉપદ્રવની તકલીફ ન થાય એટલા માટે બહારથી શરીરને કવચ (બખ્તરની જેમ રક્ષણ) કરી છે લેવું જોઈએ, અને શરીર ઉપર મંત્ર બીજોને તેનો રંગ તેની આકૃતિ વગેરેને લક્ષ્યમાં રાખીને ભાવપૂર્વક યથાયોગ્ય એક હાથ કે બે હાથ વડે કરીને સ્થાપન કરવાથી શરીરના અંદરનું રક્તાભિસરણ, ધાતુઓ, ગ્રથિઓ વગેરે વિષમ થતી અટકે, સમતોલપણું રહે અને શારીરિક સ્વસ્થતા જળવાય છે. વ્યાસના પ્રકારો સંખ્યાબંધ છે અને યોગ, ક્ષેમ માટે આ અનુષ્ઠાનમાં પંચાંગન્યાસ કરવાનો શાસ્ત્રોક્ત આદેશ છે. એટલે અહીંઆ પંચાંગન્યાસનું ચિત્ર મૂકવામાં આવ્યું છે. આ ન્યાસમાં ફક્ત એક જ વર્ણને (૪ ને) પાંચ સ્વરો લગાડીને મંત્ર બીજરૂપે બનાવ્યા છે. એ વર્ણ છે “'. આ ન્યાસ માથાના શિખા (-બ્રહ્મ) સ્થાનથી લઈને હૃદય સુધીનો છે, એટલે ઉપરના ઊર્ધ્વ દેહનો છે. પહેલાં ચિત્રની નીચે ક્ષિપ૦ નો પંચાંગન્યાસ આપવામાં આવ્યો છે. મંત્રશાસ્ત્રમાં પ્રાચીન કાળમાં બે શાખા પ્રખ્યાત હતી. હર શાખા. અને ટિ શાખા ઠ અક્ષરપ્રધાન મંત્રબીજોવાળી તે હાદિ અને અક્ષરપ્રધાન મંત્ર બીજોવાળી કાદિ. જેમકે--- હું વગેરે. અને , નીં વગેરે. --- --- --- [ ૬૨૭ | * %5--- ---- ૪૪ --- *. -
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy