SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ વળી ગવય નમઃ ને બદલે છે મો નમ: પદ વાપરવું વધુ સુયોગ્ય છે. કેમકે સ્વરોને ન વર્ગ કહેવો એ કેટલે અંશે ઉચિત છે? વ્યંજનોનો વર્ગ કલ્પવો (વધ ઇત્યાદિ) એ તો સર્વથા પર 3. સમુચિત છે. કેમકે પ્રત્યેક વર્ગમાં સંનિષ્ઠ વ્યંજનોનાં ઉચ્ચારણ સ્થાન સમાન છે. સમાન સ્થાનીય છે અક્ષરોનો વર્ગ બની શકે પણ સ્વરોમાં તેવું નથી ત્યાં તો જુદા જુદા સ્વરોનાં ઉચ્ચારણ સ્થાન છે અલગ અલગ છે. એ જોતાં સ્વરેણ્યો નમઃ આ શબ્દથી (બીજા વલયમાં) પૂજન કરાવવું છે ઉચિત છે, અને શાંતિકળશમાં પણ છે મો નમ: આ પદ જ વાપર્યું છે. 3 ગવાય નમઃ આ પદ નથી વાપર્યું. જે મારા વિચારને ટેકો આપે છે. શાંતિકળશના (દણ્ડક) પાઠમાં ગુરુપાદુકા પછી જયાદિદેવી, વિદ્યાદેવીનો સ્પષ્ટ નામ લેવાઆ પૂર્વક ઉલ્લેખ કર્યો નથી. યદ્યપિ સિદ્ધવાધિદાયકવા રેચો શબ્દ વાપર્યો છે. એમાં રહેલા દેવ દેવી શબ્દથી વાચકને થાય કે ગુરુપાદુકા પછી આવતા બધાય દેવદેવીઓનું ગ્રહણ કર્યું છે એમ શું સમજી ન લેવાય? આવો વિચાર થાય પણ જો બધાયને અનુલક્ષીને વાપર્યો હોય તો પછી પણ ના, પક્ષ, વીર, પ્રદ ઇત્યાદિ વ્યક્તિગત નામો પુનઃ લેવાની જરૂર જ ન હતી. અને આ ‘અધિષ્ઠાયક' શબ્દ મૂક્યો છે તેથી તો લાગે કે અધિષ્ઠાયક વલય પૂરતો જ આ ઉલ્લેખ છે. એટલે આ વાત ખટકે તેવી છે. એટલે આ નામો ઉમેરવાં કે કેમ તે ગંભીરતાથી વિચારવું રહ્યું. ઘણી વાર લહિયાઓ પ્રતિઓ અશુદ્ધ લખતા હતા, અધૂરી લખતા હતા. એ સંજોગોમાં ઉપરોક્ત છે વિચારવાનું સંપ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પૂજનવિધિ સાથે સંબંધ ધરાવતી બાબતો અંગેની જરૂરી સૂચનાઓ-હકીકતો સમાપ્ત થાય છે. અહીંયા યત્ર અને પૂજન અંગેની વિચારણા પૂરી થઈ. સિદ્ધચક્ર કે તેના યંત્રનું મહત્ત્વ શાથી છે તે અંગે એક સમજવા જેવી અગત્યની વાતજાતિવાચક પદોનું મહત્ત્વ અને તેથી જ તેનું શાશ્વતિકપણું આ યંત્રમાં અરિહંતાદિ જે પાંચ પરમેષ્ઠીઓ છે. તે કોઈ એક એક વ્યક્તિઓ નથી, પણ દરેક પદ પોતાના ગર્ભમાં અનંત વ્યક્તિઓને સમાવીને બેઠેલું છે, એટલે પ્રત્યેકપદ સમષ્ટિરૂપ- સમુદાય વાચક છે. અર્થાત્ કોઈ વ્યક્તિગત અમુક તીર્થકર, અમુક સિદ્ધ કે અમુક આચાર્યનું છે નામ નથી. કદાચ એ રીતે રાખ્યું હોત તો તે સવંદા માટે માન્ય પણ ન રહેત! છેવટે શાશ્વત છે, કાળ ટકત પણ નહીં. ત્યારે આમાં વ્યક્તિનું નહિ પણ જાતિઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે. આ છેઅર્થાત્ આ નામો વ્યક્તિવાચક નથી એ હકીકત છે. વ્યક્તિ કે વ્યક્તિવાદ શાશ્વત નથી, પણ જાતિ કે જાતિવાદ શાશ્વત છે, તે હંમેશા રહેવાવાળો છે. વ્યક્તિ કરતાં જાતિ મહાન છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy