SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ささささささささささささささささささささささささささささささささささささ 2 ધર્મકથાનુયોગ ઉપર તો એટલું સાહિત્ય જૈનધર્મમાં ભર્યું છે કે અમે અહીં કેટલા ગ્રન્થોનો વર નામોલ્લેખ કરીએ? આ પ્રમાણે ચારે અનુયોગની સંક્ષિપ્ત વ્યાખ્યા દર્શાવી છે, વર્તમાનમાં જૈનદર્શનનું પ્રતિપાદન : ak કરનારા આગમો તેમજ પૂર્વષિ-મહર્ષિ વિરચિત મહાન ગ્રન્થોમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગાદિ ચારમાંથી 8 2. પ્રત્યેક ગ્રન્થાશ્રયી કોઈપણ એક અનુયોગનું વિશેષ પ્રાધાન્ય જોવાય છે, જ્યારે શેષ યોગોની ગણતા તે જોઈ શકાય છે. શ્રી બૃહત્સંગ્રહણીમાં ચારે અનુયોગની ઘટના :જે ગ્રન્થને અંગે આ ઉપોદ્ધાતનો ઉપક્રમ કરવામાં આવ્યો છે તે આ ગૈલોકયદીપિકા અપર નામ શ્રી બૃહત્સંગ્રહણી ગ્રન્થ યદ્યપિ ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગના જ મુખ્ય વિષય ઉપર ઉપનિબદ્ધ થએલ છે તથાપિ એક સાથે થોડા પ્રમાણમાં પણ દ્રવ્યાનુયોગાદિ ચારે અનુયોગ-અંશે અંશે અસ્તિત્વ આ ગ્રન્થમાં ઉપલબ્ધ થાય છે. તે આ પ્રમાણે :– આ સંગ્રહણી સૂત્રમાં અપાએલ ઉદ્દેશરૂપ જે ૩૬ દ્વારો, તે ઉપર દર્શાવેલાં જીવોનું આયુષ્યદેહમાન, અવધિજ્ઞાનાદિકની મર્યાદા અંગેના વિધાનો, ગત્યાગતિ તેમજ ૨૪ દંડકોની વ્યાખ્યાઓ aો વગેરે વિષયોનો દ્રવ્યાનુયોગમાં સમાવેશ કરી શકાય છે. - સૂર્ય-ચન્દ્રનો ચાર, તેઓનું પ્રકાશ્ય ક્ષેત્ર, મંડલનું અંતર, પરિધિક્ષેત્ર, દેવ-નારીનાં તે દેહાયુષ્યમાન માટે કરણગણિત વગેરે વિષયનો ઉહાપોહ ‘ગણિતાનુયોગ'ના સ્થાનને અલંકૃત કરે તાપસ-ચરક-પરિવ્રાજકાદિ જીવો કયા પ્રકારના શુભાશુભ અનુષ્ઠાનથી સદસદ્ ગતિમાં આ ઉત્પન્ન થાય છે? વગેરે વિષયો ચરણકરણાનુયોગાન્તર્ગત ગણી શકાય છે. ચક્રવર્તી, તીર્થકર, બલદેવ, વાસુદેવોનું વર્ણન, ચક્રીની ચૌદ રત્નાદિક ઋદ્ધિનું ઐશ્વર્ય વર્ણન, છે. તેઓ કયાંથી આવી કયાં જાય છે? ઈત્યાદિ કથન પ્રસંગે “ધર્મકથાનુયોગ' નામના ચતુર્થ અનુયોગને છે પણ સ્થાન મળે છે. શ્રી બૃહત્સંગ્રહણીના વિવિધ ગાથાના સંખ્યાવાળા ગ્રન્થ આદર્શો જૈન વિદ્યાર્થી વર્ગને પરમપ્રિય શ્રી રૈલોકય દીપિકા અપરનામ શ્રી બૃહત્સંગ્રહણી જેવા બહુ જ તે જ પ્રચલિત સૂત્રગ્રન્થની સંકલના એક જ પ્રકારમાં દૃષ્ટિગોચર થતી નથી, પરંતુ જૈનદર્શનના અજોડ, 2 અદ્વિતીય અને મનોરંજક સાહિત્યમાં ભિન્ન ભિન્ન પ્રણાલિકાઓથી જુદી જુદી સંખ્યાવાળી ટેક ગાથાઓથી સંકલિત થએલા એ બૃહત્સંગ્રહણી સૂત્રના પ્રાચીન હસ્તલિખિત આદર્શો વર્તમાનમાં તે ઢગલાબંધ પ્રમાણમાં પ્રાયઃ જાણીતા દરેક ભંડારોમાં ઉપસ્થિત જોવાય છે. છે. અને વર્તમાનમાં એ જ સંગ્રહણી સૂત્રના ગ્રન્થો જુદી જુદી સંખ્યાવાળી ગાથાઓવાળા મુદ્રિત પણ થઈ ચુક્યા છે. તેમાં શ્રી ભીમસી માણેક તરફથી પ્રગટ થએલ પ્રકરણરત્નાકર' ગ્રન્થાન્તર્ગત kesa=seaseee eeeeeeeeeeeeees [ ૨૧ ] eeeeeeeeeeeeeeeeeeeeeeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy