SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના શાસનમાં આ જાતની અદ્ભુત અને અનુપમ કહી શકાય તેવી છે છે. ચિત્રાવલી (પ્રાય:) પહેલીજવાર તૈયાર થઈ છે. એકંદરે ચિત્રકારના ગતજન્મના કલાના સંસ્કાર, છે કલાની એમની ઊંડી ભવ્ય સૂઝ, સાથે સાથે અમારું વ્યાપક અને માર્મિક માર્ગદર્શન અને ને મળેલી અમારી પોતાની પણ કલાની ઊંડી સૂઝ-સમજ, આ બંનેના સહયોગથી થયેલાં ચિત્રોએ સહુને ખૂબ જ આકર્ષ્યા છે અને દેશ-પરદેશમાં સર્વત્ર અકલ્પનીય અને ભારે આદરમાન પામ્યાં છે. જ આ ચિત્રોમાં કયા ગ્રન્થનો પ્રધાન આધાર લીધો છે જ ભગવાન મહાવીરનાં પ્રાચીન ચરિત્રો મુખ્યત્વે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષા તથા છે ગુજરાતીમાં મળે છે. આ ચરિત્રોમાં કેટલીક હકીકતોમાં સારી એવી ભિન્નતાઓ મળે છે એટલે છે અમોએ આ ચિત્રો પ્રધાનપણે કલ્પસૂત્ર-સુબોધિકા ટીકાને પ્રાધાન્ય આપી બનાવ્યાં છે. ભગવાન જી મહાવીરના જીવનના બધા ગ્રન્થોના મતભેદોની તાલિકા તથા ૪૮ ચિત્રોના લખેલ પરિચયના 3 કઠિન શબ્દોનો અર્થકોશ, તેઓશ્રીના દરેક ચાતુર્માસ દીઠ શું શું ઘટનાઓ બની એની યાદી જ વગેરે આપવું હતું પણ આથી કલાના ગ્રન્થનું કદ વધે અને કલાના ગ્રન્થમાં જરૂર પણ નહીં છે. છે તેથી મહાવીરને લગતી બીજી ઘણી બાબતો જતી કરી છે. જ દક્ષિણ ભારતની ચાર ભાષામાં ચિત્રસંપુટ પ્રગટ થઈ ન શક્યું જ છે દક્ષિણ ભારતની તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ ચાર ભાષામાં લખેલા પરિચયનું મેટર મારી પાસે પંદરેક વરસથી પડ્યું છે. મદ્રાસ કે બેંગ્લોરના સંઘે ઉત્કટ નિષ્ઠાથી આ હરિ પ્રકાશનનું કાર્ય જો માથે લીધું હોત તો તે પ્રગટ થઈ ગયું હોત અને સમગ્ર દક્ષિણ ભારતને છે. ભગવાન મહાવીર જેવી મહાન વ્યક્તિનો આછો પરિચય પ્રાપ્ત થાત, પણ એ કાર્ય ન થતાં છે મને ઘણો જ રંજ રહી ગયો છે અને હવે કોઈ આશા નથી. છે નાનું ભારત ગણાતા મહાન મુંબઈ શહેરમાં હેંગીંગ ગાર્ડન સામે જ ભગવાન શ્રી છે મહાવીરના કીર્તિસ્થંભનું સાત મજલાવાળું કામ શિલ્પ, સ્થાપત્ય, કલા વગેરેની દૃષ્ટિએ અજોડ છે. જ કરવાની ભાવના હતી પરંતુ ત્યાંની ધરતી પથ્થરની નીકળતાં એ કામ મુલતવી રહ્યું અને અમો છે. છે મુંબઇથી વિહાર કરી ગયાં. જે વિશ્વની મોટી પાંચ ભાષામાં સંપુટ પ્રગટ થઈ ન શક્યું જ પરદેશમાં વસતી મોટી સંખ્યાની જનતાને ભગવાન મહાવીરના જીવનકવનની જાણ કરવી છું હોય તો વિશ્વની મુખ્ય પાંચ ભાષામાં તે છાપવું જોઈએ. આ માટે પાંચેય ભાષામાં ટ્રાન્સલેશન જે કરવું જોઈએ. તેમાં અમે ફ્રેન્ચ ભાષામાં ટ્રાન્સલેશન કરાવરાવ્યું. જર્મન, સ્પેનીસ વગેરે ભાષામાં કરવાનું હતું પણ કરનારા ન હતા. તે પછી તો અમારો વિહાર મુંબઇથી પાલીતાણા તરફ થયો. ઘણી હિલચાલ કરવા છતાં સફળતા ન મળી, અને મારા મહાવીરની મહાન કથાને વિશ્વભરમાં છે મોકલી ન શક્યો તેનો ભારે રંજ રહી ગયો.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy