SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ઉકવવી કેવી કેવી રીતે? addલીક લીલવશીકલાલ ખરેખર! ઉપાધ્યાયજી ભગવંત પ્રખર અભ્યાસક, અદ્ભુત સર્જક અને કુશળ લેખક પણ છે જ હતા. આમ ત્રણેય શક્તિઓનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત કરવાનું વિલક્ષણ સૌભાગ્ય કોઇ વિરલ છે વ્યક્તિને જ લલાટે લખાએલું હોય છે. કોઈને સહજ રીતે એવો પ્રશ્ન થાય કે અહીંયા આપેલી પ્રતિકૃતિઓ સ્વહસ્તાક્ષરની જ છે એનો પુરાવો શું? તો પુરાવાનાં અનેક પ્રામાણિક કારણો રજૂ કરી શકાય એમ છે. છે સંપુટગત કૃતિઓ કે તેની મૂલ પ્રશસ્તિઓથી પણ તેનો ઘણો ખરો ખ્યાલ આવી શકે તેવું છે છે. પણ એની ચર્ચા કરવાનું આ સ્થાન નથી, તેને જતું કરીએ. બાકી પુણ્યાત્મા મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજે તથા મેં તેની પાકી અજમાયશ કરેલી છે. એટલે શંકાને કોઈ સ્થાન પર જ નથી. કેટલીક કતિઓ કે પંક્તિઓના હસ્તાક્ષરો એવા પણ છે કે જે પૂવાંપર પૂરા મળતા જ આવતા નથી. કેટલાક ન્યૂનાધિકપણે મળતા આવે તેવા છે, તો તેનું કારણ શું? તેનું વાસ્તવિક છે આ કારણે તો શોધવું બાકી છે. પણ એનો સ્થૂલ જવાબ એ હોઈ શકે કે, ઉંમરના ભેદ, છે ઉતાવળના કારણે કાં લેખનકલાના અભ્યાસની પ્રગતિનાં પરિણામે અક્ષરોનાં માપ, વળાંક, કે મરોડમાં ભેદો સર્જાતા હોય છે, અને હસ્તાક્ષર નિષ્ણાતોથી તો એ વાત જાણીતી છે કે એક જ વ્યક્તિના હાથે લખાએલા અક્ષરોમાં એવી વિવિધતા હોય છે કે એને પારખવાનું કાર્ય દુર્ઘટ છે. ન બની જાય છે. અગાઉ જણાવ્યું તેમ, ઉપાધ્યાયજી અતિવ્યવસાયી પુરુષ છતાં સમગ્ર લખાણની દૃષ્ટિએ છે જોઈએ તો નિઃસંકોચપણે આપણે તેમને સિદ્ધહસ્ત (લહિયા) તરીકે બિરદાવી શકીએ. કારણ છે કે લગભગ મોટા ભાગની પ્રતિઓનાં લખાણનો પ્રવાહ ગંગાના અવિરત ધસમસતા ધીર, ગંભીર પ્રવાહની જેમ એકધાર વહેતો દેખાય છે અને એથી આપણી નજરને પણ તે જકડી રાખતો હોય છે. અલબત્ત સૌન્દર્યની દષ્ટિએ મૂલ્યાંકન કરીએ તો પ્રસ્તુત લેખનને સર્વોતમ કોટિનું ન કહી છે છે શકીએ, પણ મધ્યમ કોટિનું તો જરૂર કહી શકીએ. તેઓશ્રીના હાથની લઢણ અને શૈલી જોતાં જરૂર કહી શકાય કે તેઓશ્રીને સર્જન અલ્પ કરવાનું હોત, તો તો ચીપી ચીપી લખીને, કલમને મઠારી મઠારી સુંદર અને નમૂનેદાર અક્ષરો લખી શકત. પણ આવા અનોખા, મહાસર્જક સંતા છે છેસૌન્દર્યની સાથે સગપણ ક્યાં બાંધવા બેસે! તે તેમને પાલવે જ ક્યાંથી? વળી આ સર્જન છે છે પાછું કેવું? એકાદ અક્ષર કે શબ્દ જૂનાધિક લખાઈ જાય, કાનો માત્ર રહી જાય કે તેનો આ તફાવત પડી જાય, તો અર્થસંગતિમાં ભારે મથામણો ઊભી થઈ જાય એવું. વળી સંખ્યાબંધ જ ગ્રન્થોનાં ઉદ્ધરણો ટાંકવાના, સ્વપર ગ્રન્થોનું અવલોકન ચિંતન-મનન ઇત્યાદિ કાર્ય પાછું કરવાનું છે. છે એટલે આવા વ્યવસાયી પુરુષો હંમેશા કાર્યવેગી જ હોય, આવા કારણે તેઓશ્રી પાસેથી છે છે. સર્વોતમ કોટિના લેખનની આશા રાખવી એ મને લાગે છે કે વધુ પડતી છે. આમ છતાં કહેવું જ જોઈએ કે, હસ્ત અને મનનાં સ્વાભાવિક ધૈર્ય અને પૈર્યને જરા પણ ગુમાવ્યા વિના અચૂકપણે જ હું લખ્યું છે. એવું તેઓશ્રીની પ્રતોના આભિમુખ્ય સંદર્શનથી ચોક્કસ સમજાયું છે. આ જ કારણે છે છે સ્યાદ્વાદરહસ્યલgવૃત્તિ આદિ વૃત્તિઓ પ્રથમદર્શરૂપે કાચી જ લખેલી મળી. અને તેમાં કરેલા છે કિલ કિશિ ક્રિટિકલી કિરવો
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy