SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા, બંધબેસતી થઈ શકે! જ્યારે દેશની કમનસીબી આજે એ છે કે આપણા કેટલાક વર્તમાન શાસકો કે ધારાસભ્યોની બુદ્ધિ અને ભેજાં પશ્ચિમના આચારવિચાર, સંસ્કાર અને સંસ્કૃતિથી વધુ પડતા ઘેરાએલા છે. તેમની બુદ્ધિ પશ્ચિમના ભૌતિકવાદપ્રધાન રંગરોગાનથી રંગાએલી છે. તેમના રે હૃદયપટ ઉપર પશ્ચિમના આચારવિચારની છાપ મજબૂતપણે અંકિત થયેલી છે. એટલે એ આ બધાયનું પ્રતિબિંબ તેમના વિચાર, વર્તન અને કાર્યમાં પડે તે સ્વાભાવિક છે. આપણે જાણીએ છે ૬ છીએ કે આપણો શાસકવર્ગ ક્યારેક ક્યારેક આપણાં આર્યાવર્તના સંસ્કાર અને સંસ્કૃતિને લજવે 5 એવા તદ્દન અનિચ્છનીય વિચારો જાહેરમાં રજૂ કરે છે. અને તદનુરૂપ કાયદાના બીલો પણ કરે ૬ લાવે છે. કોઈ કોઈનાં ભેજાં તો એવાં ફળદ્રુપ બની જાય છે કે કલ્પનામાં ન આવે તેવાં બીલો છે. પાર્લામેન્ટમાં લાવે છે. અને એમની પાછળના જે ઉદ્ગારો નીકળે છે, તે જાણીને કોઈ પણ છે આર્યને ભારે ગ્લાનિ અને ખેદ ઉત્પન થયા વિના ન રહે. ત્યારે ઘડીભર મનમાં પ્રશ્નો ઉઠી છે આવે છે કે શું આ આપણા ભારતના સપૂતો છે? શું આ આપણા સાચા હિતેચ્છુઓ છે? તે શું આ આપણી સંસ્કૃતિના રખેવાળો છે? ઉપરની વાતના અનુસંધાનમાં એક પ્રસંગ રજૂ કરૂં ભારત આઝાદ થયા પછી એક વખતે આપણા એક મુખ્ય પ્રધાને એક જાહેર સભામાં લલકારી નાખ્યું કે “આ યુગમાં જે શ્રમ ન કરે તેને ખાવાનો કોઈ અધિકાર નથી, જે શ્રમ ન કરે તેને કાર સમાજ ઉપર નભવાનો અધિકાર નથી” ઈત્યાદિ. આ વિધાન ભારતના સાધુ-સંન્યાસીઓને ઉદ્દેશીને કર્યું હતું. એ વખતે તેમણે કહ્યું હોત તો છે કે “જે સાધુઓ નથી પોતાનું કલ્યાણ કરતા કે નથી પ્રજાનું, માત્ર ખાવું, પીવું ને પડ્યા રહેવું, કે ગમે તેમ કરીને દિવસો પૂરા કરવા, ઉપરાંત સાધુતાને ન છાજે તેવું વર્તન કરતા હોય, તેઓ પર ભલે સાધુ હોવાનો દાવો કરતા હોય, પરંતુ વાસ્તવમાં તેઓ સાચા સાધુઓ નથી. આવા સાધુઓને સમાજ ઉપર નભવાનો કોઈ હક્ક નથી.” તો તેમનું પ્રતિપાદન વિવેકપૂર્વકનું ૨ ચિત ગણાત. પણ તેમ ન ઉચ્ચાર્યું. પેલામાં તો સંસ્કૃતિનો અનાદર ધ્વનિત થતો હતો, પરિણામે “વત્ છે વહીવત શ્રેષ્ઠઃ તત્તવેતરો બનઃ” ની જેમ ત્યાર પછી તો ‘મહેનત કરીને ખાવ, કામ કરો અને તે આરોગો”ના સૂત્રમાં જ માનવાવાળા અન્ય શાસકોએ પણ મોટાના ચીલે ચાલીને આના પર પિષ્ટપેષણ કર્યું અને પ્રસ્તુત વિચારોને વેગ આપ્યો. પછી અખબારોએ પણ કલમ ચલાવી, એટલે કે હવે તો આ હવા પ્રજાના એક વિભાગમાં પણ ઠીક પ્રસરવા માંડી હોય તેમ લાગે છે. અને હું તેમણે તો નરસા ભેગા સારાઓને પણ ભાંડવા માંડ્યાં છે. જે સાધુઓ ત્યાગ અને વૈરાગ્યના કરે સંસ્કારોથી સંપન્ન છે. ચારિત્રવાન છે. દેશને ગૌરવરૂપ છે. જનતાના અહિંસા ધર્મના પાલનનું. કે આ સત્ય બોલવાનું, ચોરી નહિ કરવાનું, એક પત્નીવ્રત કે બ્રહ્મચર્યપાલનનું, પરિગ્રહના ત્યાગનું, તે જરૂરથી વધુ સંગ્રહ હોય તો દીન-દુઃખી-નિરાધારને આપવાનું, ઇર્ષ્યા, અદેખાઈ, નિંદા, ચાડી, કાર ર ચુગલી, કલહ-કંકાસથી દૂર રહેવાનું ક્રોધ-માન-માયા-લોભના દુર્ગુણોને નહીં પોષવાનું, એર આ જીવનના પાયાના પ્રામાણિકતાના ગુણોનો સતત આદર કરવાનું, વિનય, વિવેક, ક્ષમા, સંતોષને છે કે ખીલવવા મંત્રી કે ભાતૃભાવ વધારવાનું શિક્ષણ આપે છે, તે સેકડો રાષ્ટ્રીય નેતાના કાર્ય કરતાં
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy