SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્રપાઠમાં કહેવાય જ છે એવું પણ નથી. ઉપલક્ષણથી, સત્ય પરંપરાથી પણ કેટલાક નિર્ણયો કરી કરવાના હોય છે. તે સિવાય કેટલીક પ્રતિઓના મૂલપાઠમાં “પષ્યાતો જ્ઞાન-ર' એવા પાઠને ઠેકાણે “પગ્નદર્શનાથને' એવો પાઠ હોવા છતાં તે પાઠને અનુસરીને મંત્ર ઉદ્ભૂત ન કરતાં પ્રથમ પાઠ પ્રમાણે જ ઉદ્ધરણ કરી નાંખ્યું છે. ઉપર જોઈ આવ્યા તેમ અચાન્ય પ્રતિઓમાં જુદી જુદી રીતે મૂલમંત્ર બીજોમાં અને તેના શુદ્ધાક્ષરોમાં સામાન્ય કોટિનો તફાવત જોવામાં આવ્યો છે. અગાઉ બાર પ્રકારો બતાવ્યા છે તેમાં નંબરો ૧, ૩, ૪, ૫- સિવાયના બાકીના પ્રકારો અંગે કશો જ વિચાર કરવાનો નથી; કારણ કે તે તો તદ્દન અશુદ્ધ જ છે. બીજી બાજુ મૂલમંત્રના પાઠભેદોવાળી વિભિન્ન તમામ હસ્તલિખિત પ્રતિઓ કે મુદ્રિત પુસ્તકોમાં, મૂલમત્ર લખી કે છપાવીને નીચે જણાવાતી પંકિતઓ (લગભગ) એક સરખી રીતે જ લિખિત કે મુદ્રિત જોવા મળે છે, તે પંક્તિ નીચે મુજબ છે. "इति ऋषिमंडलस्तवस्य-यन्त्रस्य मूलमन्त्रः, आराधकस्य शुभः। नवबीजाक्षरः, अष्टादशशुद्धाक्षरः, एवमेकत्रसप्तविंशत्यक्षररूपः॥" આ પંક્તિમાં ઋષિમંડલનો જે યત્ર છે તેનાં મન્નબીજોની સંખ્યા નવ જણાવી, તે અને શુદ્ધાક્ષરોની અઢાર સંખ્યા ગણાવીને મૂલમ– ૨૭ અક્ષરોનો હોવાનું સૂચન કર્યું. આ તો એકી અવાજે સર્વ સ્વીકૃત બાબત છે, પણ નવ બીજો અને ૧૮ શુદ્ધાક્ષરો કયા? તે જ સ્પષ્ટ ગણત્રી કરીને બનાવેલું મારા જોવામાં હજુ આવ્યું નથી, એટલે તેનો અલ્પ વિચાર આપણે જ કરવો રહ્યો. મત્ર બીજો ક, ખરા પણ તે કયા? અને શુદ્ધાક્ષરો ૧૮ તે કયા? સંખ્યા નિર્ણય કરવા અગાઉ ૐકારને બીજ ગણીને ગણનામાં ગણવો કે કેમ? તેનો પ્રથમ નિર્ણય કરવો જોઈએ, કારણકે ૐકાર પ્રણવ-અક્ષર પણ ગણાય છે ને બીજ મન પણ ગણાય છે. વિ. સં. ૧૯૭૨માં અને ત્યારપછી વિ. સં. ૨૦૦૩માં દિગમ્બર સંસ્થા તરફથી આ બહાર પડેલી પં શ્રી મનોહરલાલ શાસ્ત્રીકૃત અનુવાદવાળી ઋષિમંડલમ–કલ્પ નામની ૧. ખાસ કરીને દિગમ્બરીય પ્રતિઓમાં આ પાઠ વધુ હશે ખરો! મૂલમત્રના ૨૭ અક્ષરોમાં આદિનું ‘ૐ’ બીજ ગણત્રીમાં લેવું કે કેમ? નમઃ એની શુદ્ધાક્ષરમાં ગણત્રી કરવી કે બીજમાં? સંય પદ ઉપલક્ષણથી મૂલમમાં લેવું કે કેમ? આ નિર્ણયો કરવાનું કાર્ય તથાવિધ વિજ્ઞ વ્યક્તિઓના અભાવે તત્કાલ મુશ્કેલીભર્યું છે. અને એના નિર્ણય વિના મૂલમનો યથાર્થ નિર્ણય આપવો અશક્ય બની જાય છે. અમુક દૃષ્ટિએ જોઈએ તો ૐ અને નમ: બંનેને બાદ કર્યા પછી ૨૭ અક્ષરોની ગણત્રી કરવી ઉચિત સમજાય છે. ૐકાર અને નમઃ બંનેનો બીજો તરીકે પણ ઉલ્લેખ થયેલો છે. સ ::: [ ૧૫૨ )ekhakkekekeka :: ::: ૩. ત
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy