SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તે દક્ષિણધ્રુવ મોટો છે અને ત્યાં સર્વત્ર હજારો-લાખો ફૂટની બરફની ચાદરોથી આખો ખંડ કે ઢંકાએલો છે. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં સફેદ બરફ સિવાય કશું જ ન દેખાય, પગ મૂકાય રે નહિ, વાહન ચાલે નહિ, હવે તો એના માટે બરફને કાપીને સરકતી જતી એવી ખાસ બનાવેલી તો સ્ટીમરો મારફત જઈ શકાય છે. ત્યાંની ઠંડી કે ત્યાંના સુસવાટા દૂર દૂર રહેલાંઓથી પણ સહન થઇ શકતા નથી. આવી પ્રાકૃતિક પરિસ્થિતિ જોવાનું મન કોણે ન થાય? ચાર હજાર માઇલના પથરાયેલા પ્રગાઢ બરફના કારણે ત્યાં વહેલ માછલી, પેગ્વીન પક્ષીઓ વગેરે સિવાય ખાસ કોઈ જીવજંતુ કે વનસ્પતિને સ્થાન નથી. હા, ફક્ત તેના કિનારાના ભાગ ઉપર ધરતીના થોડા જીવો R. અને થોડાં ઝાડ-પાન જોવા મળે છે. ત્યાં લાખો પક્ષીઓ રહે છે. છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ જ્યાં થાય છે તે આ મહાદ્વીપના દક્ષિણધ્રુવ - ઉપર તેમજ ઉત્તરધ્રુવના વિભાગો ઉપર થાય છે. અરે! રાત્રે ઊગીને બે-ત્રણ કલાકમાં આથમી એ પણ જાય છે, એવું પણ ત્યાં ચાલે છે. જૈન ભૂગોળની દષ્ટિએ આનું કોઈ સચોટ કારણ શોધી : શકાયું નથી અને સમાધાન મેળવવું અશક્ય ન કહેતાં ઘણું જ દુઃશક્ય કહું તે ઠીક છે. ર દક્ષિણધ્રુવમાં બરફ ઉપર માત્ર કૂતરાઓથી ચાલતી સ્લેજગાડી પ્રવાસ માટે કામમાં આવે છે. * જ હવે ઉત્તરધ્રુવનો પરિચય કરી લઇએ જ આપણી દેખાતી પૃથ્વીના ઉપરના ભાગે ટોચે આ સ્થાન છે. આ ઉત્તરધ્રુવને પણ ‘આર્કટીક' નામથી ઓળખવામાં આવે છે. દક્ષિણધ્રુવમાં સઘન બરફમય ધરતીના કારણે સજીવ છે આ સૃષ્ટિ રહી શકે નહિ એટલે ત્યાં પહેલેથી જ વસવાટ જેવું હતું જ નહિ પણ ઉત્તરધ્રુવમાં થોડાક એ ક જ માણસો અને પશુઓનો વસવાટ રહ્યો છે. ઉત્તરધ્રુવના કેન્દ્રને ફરતો ઉત્તરધ્રુવ મહાસાગર છે. એસ્કિમો જાતના લોકો ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ ઘર બાંધીને વસવાટ કરે છે. ત્યાં કૂતરાંઓ, કે - પેશ્વીન પ્રાણીઓ એવાં થોડાં પશુ-પ્રાણીઓની વસ્તી હોય છે. જ્યારે બરફ પડે છે ત્યારે તે તાપમાન શૂન્ય નીચે પહોંચી જાય છે. બરફ પડવાની રાતો ઘણી લાંબી હોય છે. કેમકે અહી છે. મહિનાઓ સુધી સૂર્ય ઊગતો નથી છતાં આકાશમાં એક પ્રકારનો પ્રકાશ ફેલાયેલો હોય છે. કયારેક સૂરજ દેખાય છે ત્યારે આકાશથી બહુ નીચે ઊગેલો હોય એમ દેખાય છે. ઉત્તરધ્રુવમાં બરફના તરતા પહાડો છે. તેના સઘન બરફની નીચે દરિયો છે. અમેરિકાની અણુસબમરીન છે. પૃથ્વીની સફરે નીકળી ત્યારે ઉત્તરધ્રુવની નીચેના બરફની ચાદર નીચે થઈને પસાર થઇ હતી. તે છ મહિનાની રાતની અને છ મહિનાના દિવસની અસરો ઉત્તરધ્રુવની પાસેના સ્વીડન નોર્વે 2 વગેરે ધ્રુવપ્રદેશ પાસેના પ્રદેશોમાં પણ વરતાય છે. ઉત્તરધ્રુવની નજીક આવેલા નોર્વે દેશના . કે બોડો' ગામમાં જૂનની ત્રીજી તારીખથી છ મહિનાના દિવસનો પ્રારંભ થાય છે, ત્યાં સૂરજ : - અડધી રાતે પણ હોય છે. ધ્રુવપ્રદેશમાં રાત્રે રંગબેરંગી અદ્ભુત દશ્યો દેખાય છે એવું જોનારે . નોટ લખ્યું છે. છ મહિનાની રાત અને છ મહિનાના દિવસની ઘટના જેન વાચકો માટે ભારે છે એ આશ્ચર્યજનક અને ઘણું ઊંડું સંશોધન માગે તેવી છે. એ સંશોધન નોર્વેના ઉત્તર ભાગમાં જાતે કરી રહીને જ થઈ શકે ત્યારે તેનાં કારણો કદાચ શોધી શકાય. બાકી સૂર્યના ચારની જૈનદષ્ટિએ તો 発売発売が発売******** [ co] 光がさがさがさが来た来た来たいだ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy