SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અને સ્વાધ્યાય તથા પૌષધ વગેરે વિધિમાં તત્પર થઈને અહેરાત્ર પોષધાગારમાં રહેવા લાગ્યા મોટા પુત્ર ક્રમ વિષયી થઈ પેાતાના નાના ભાઇની સ્ત્રીને સેવવા લાગ્યા, તેની મરૂભૂતિને ખબર પડતાં રાજાને નિવેદન કર્યું. રાજાએ તેને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી કાઢી મૂકયેા. કમઠ લજ્જાથી દુઃખી થઈ તાપસ થયેા. મરૂભૂતિ તે જાણી પશ્ચાતાપ કરતા ભાઇને ખમાવવા ગયા. પણ કમકે તા પેાતાને થયેલી વિડંબના સંભારી એક શિલા ઉપાડી મરૂભૂતિના માથામાં મારી તેથી મરૂભૂતિ આત્ત ધ્યાને મરણ પામી વિંધ્યાચળ પતમાં હાથી થયા. હાથીના જીવ શુભધ્યાને મરણ પામી સહસ્રાર દેવલાકમાં દેવ થયા. પ્રાણ્વિદેહના સુચ્છનામના વિષયને વિષે રહેલા વૈતાઢયગિરિ પર તિલકા નામે એક ધનાઢય નગરી છે તે નગરીમાં ખેચરપતિ નામે રાજા હતા. તેને કનકતિલકા નામે પટ્ટરાણી હતી. મરૂભૂતિને જીવ જે દેવલાકમાં દેવ હતા તે ચ્યવીને નકતિલકા દેવીની કુક્ષિ વિષે પુત્રપણે અવતર્યાં. ચાગ્ય અવસરે સંપૂર્ણ નરલક્ષણવાળા એક પુત્રને તેણે જન્મ આપ્યા. પિતાએ તેનું કિરણવેગ એવું નામ પાડયું, કિરણવેગ માટા થતાં તેને કિરણતેજ નામે પુત્ર થયો. કિરણતેજને ગાદીએ બેસાડી કિરણવેગે દીક્ષા લીધી. અનુક્રમે અંગ ધારી શ્રુતસ્કંધ ઢાય તેવા તે ગીતા થયા. અન્યદા ગુરૂની આજ્ઞાથી એકલિહારી થઈને મુનિ આકાશગમન શક્તિવડે પુષ્કર વર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અહુતાને નમીને વૈતાઢયગિરિની પાસે હૅમિગિરની ઉપર તે પ્રતિમા ધારણ કરીને રહ્યા. તીવ્ર તપ તપતાં પરિષઢાને સહન કરતાં અને સમતામાં મગ્ન રહેતાં એવા તે [કરણવેગ મુનિ ત્યાં રહ્યા રહ્યા પાતાના કાળ નિમન કરવા લાગ્યા. એક દિવસે સર્પ મુનિને ડંશ દીધા તે વખતે કિરણુવેગ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy