SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ હકીકત કહી. છએ સાધુઓને જોઇ દેવકીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યુ. દેવકીએ કહ્યું”, “મને એટલા ખેદ થાય છે કે મેરૂં કાઈ ને રમાડયા નહિ” પ્રભુએ કહ્યું “તમે પૂત્ર ભત્રાંતમારી શાકયનાં સાતરત્ના ચાર્યા ‘હતાં. પછી જયારે તે રાવા લાગી ત્યારે માત્ર એક રત્ન પાછું આપ્યું હતુ. તેથી તમારા સાતે પુત્રો તમારા હાથમાંથી ગયા અને કૃષ્ણ પાછા મળ્યા.” આ પ્રમાણે સાંભળી દેવકી પેાતાના પૂર્વ ભવતું કૃત્ય વખાડતી, પેાતાને ધેર ગઈ અને પુત્રની ઈચ્છાથી ખેદયુક્ત રહેવા લાગી. એક વખત કૃષ્ણે આવી પુછ્યુ, “ તમે કેમ દુઃખી છે ! '' દેવકી બોલ્યાં, “મારૂં જીવન બધુ નિષ્ફળ ગયું; ક્રમ કે તમે નંદ ને ઘેર મેાટા થયા અને તમારા છ ભાઇએ સુલસાને ઘેર મેટા થયા. મેં તા સાતમાંથી એકને પણ રમાડયા નહિ. બાળકનું લાલન પાલન કરવા હું' પુત્ર ઇચ્છું છું.” ગજ સુકુમાલ ચરિત્ર કૃષ્ણે કહ્યું, “તમારા મનારથ પૂર્ણ કરીશ” કૃષ્ણે નગમેષી દેવનુ આરાધન કર્યું એટલે તેણે પ્રત્યક્ષ થઇ કહ્યું. “તમારી માતાને પુત્ર થશે. પણ યૌવન પામતાં દ્વીક્ષા લેશે” એટલુ કહી દેવ જતા રહ્યો પછી દેવકીને એક પુત્ર થયા. પિતાએ તેનુ' નામ ગજસુકુમાર પાડયું. અનુક્રમે તે મેાટા થતાં, પેાતાની ઇચ્છા વિરૂદ્ધ બે કન્યા પરણ્યા. તેમાંની એક દ્રુમરાજાની પુત્રી પ્રભાવતી હતી અને બીજી સામશમાં બ્રાહ્મણની સામા નામની કન્યા હતી એક વખત નેમિનાથ ભગવાન ત્યાં સમવસર્યાં. તેમની દેશના સાંભળી વૈરાગ્યવંત થઇ ગજસુકુમારે ઢીક્ષા લીધી. તે માતાપિતાને અતિવલ્લભ ઢાવાથી કૃષ્ણ, દેવકી વગેરેએ ગાઢ સ્વરે રૂદન કર્યું". કેવળજ્ઞાન અને મેક્ષ જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ગજસુકુમાર મુનિ પ્રભુની
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy