SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ સૂચના આપી હતી કે કષ્ટ પડે લમણે સિંહનાદ કરી પિતાને બેલાવો. પૂર્વ સંકેત અનુસાર રાવણના એક અનુચરે લમણના જે સિંહનાદ કર્યો, તેથી સીતાને એકલી મુકી રામ યુદ્ધભૂમિ પર ગયા. સીતાને એકલી જોઈને રાવણે તેને વિમાનમાં બેસાડી દીધી અને લંકા તરફ પોતાના વિમાનને રવાના કર્યું. જટાયુએ રાવણને રોકવા પ્રયત્ન કર્યો પણ રાવણે તેની પાંખે કાપી નાંખી સીતાનું રૂદન સાંભળી રત્નજટા વિદ્યારે રાવણને સામને ર્યો, પણ રાવણે તેને હરાવી કંબુદ્વીપ ઉપર નાખ્યા. રાવણે વિમાનમાં બેસીને આકાશમાગે સમુદ્ર પર ચાલતાં, કામાતુરપણે સીતાને કહ્યું, “હે જાનકી ! સર્વ ખેચર અને ભૂચર લેકીને હું સ્વામી છું. તેની પટરાણીના પદને તમે પ્રાપ્ત થયા છે. તે છતાં તમે રૂદન કેમ કરો છો ? હર્ષને સ્થાને તમે શેક શા માટે કરો છો ? પૂર્વે મંદ ભાગ્યવાળા રામ સાથે તમને જોડી દીધા એ વિધિએ ગ્ય કર્યું ન હતું તેથી મેં હવે યોગ્ય કર્યું છે. તમે મને પતિ તરીકે સ્વીકારે એટલે સર્વ ખેચર અને ખેચરીઓ તમારા દાસ-દાસી થઈને રહેશે.” સીતાએ જવાબ આપ્યો કે રાવણને તેના અપકૃત્ય બદલ મૃત્યુ મળવાનું છે. લંકામાં રાવણના મંત્રીઓએ સીતાને સત્કાર કર્યો અને તેને દેવરમણ નામના એક ઉદ્યાનમાં એક અશોકવૃક્ષ નીચે રાખવામાં આવી. તે સમયે સીતાએ એ અભિગ્રહ લીધે કે “જયાં સુધી રામ અને લક્ષ્મણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” સીતાને ફરતા ચેકીદાર ગોઠવી મનમાં હર્ષ પામતો રાવણ પિતાના રાજમહેલમાં ગયે. બીજી તરફ, સિંહનાદ સુણ રામ રણભૂમિ પર પહોંચ્યા. રામને અચાનક આવેલા જોઈ લક્ષ્મણે પૂછયું, “આપનું આગમન
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy