SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. બંધ કહીએ. સર્વથા અબંધ થઇ ફરી પ્રથમ સમયે બંધ કરે તેને અવકતવ્ય બંધ કહીએ. હવે ઉત્તર પ્રકૃતિના ભયકારાદિ બંધ કહે છે–દશનાવરણ કમના અવસ્થિતિ બંધ ત્રણ, નવને છને ચારને એવં ત્રણ બે યકાર, બે અલપતર. અવકતવ્ય છે તે આ પ્રમાણે અગ્યારમાં ગુણઠાણે સર્વથા અબંધ થઈને પડતો દશમે ગુણકાણે ચાર પ્રકૃતિને બંધ કરે તે પ્રથમ સમયે પહેલે અવકતવ્ય બંધ હોય. ઉપશાતમોહે સર્વથા અબંધ થકે કાલ કરી અનુત્તરવિમાને ચેથે ગુણઠાણે પ્રથમજ છ પ્રકૃતિ બાંધે, ત્યાં પ્રથમ સમયે બીજો અવક્તવ્ય બંધ હોય. મેહની કર્મના દશ અવસ્થિતિબંધ કહે છે–૨૨ને મિથ્યાત્વ ગુણઠાણે હોય. મિથ્યાત્વરહિત બીજે ગુણઠાણે ર૧ નો બંધ. અનંતાનુબંધી ચાર વિના ત્રીજે થે ગુણઠાણે ૧૭ ને બંધ. અપ્રત્યાખ્યાન ચાર વિના પાંચમે ગુણઠાણે ૧૩ ને બંધ. પ્રત્યાખ્યાન ચાર વિના છઠાથી આઠમા સુધિ ૯ ને બંધ. હાસ્ય, રતિ, ભય અને કુચ્છા એ ચાર વિના નવમે ગુણઠાણે પાંચ, બીજે ભાગે પુરૂષવેદ વિના ચાર, ત્રીજે ભાગે સંજ્વલનોધ વિના ત્રણ, ચોથે ભાગે સંજવલન માન વિના બેને, પાંચમે ભાગે સંજવલનની માયા વિના એકને બંધ. એવં દશ અવસ્થિતિ બંધ, નવ ભૂયસ્કાર, આઠ અલપતર, કેમકે ૨૨ થી ૧૭ ને બંધ કરે, ચડતાં મિશ્ર અને સમ્યકત્વે ૧૭ બાંધે તે પહેલા અલ્પતર બંધ. સાસ્વાદન તે પડતાંજ હેય માટે ચઢતાં ૨૧ ને બંધ ન હેય. તથા બે અવકતવ્ય તે આ પ્રમાણે–ઉપશાંત ગુણઠાણે સર્વથા આબંધ થઈ નવમે ગુણઠાણે સંજવલન લેભ બાંધે, ત્યારે પ્રથમ સમયે પહેલે અવકતવ્ય બંધ હેય. ઉપશમણિએ અબંધ થઈ કાલ કરી અનુત્તરવિમાને પ્રથમજ ચોથે ગુણઠાણે ૧૭ ને બંધ કરે એ બીજો અવકતવ્ય બંધ. હવે નામકર્મના અવસ્થિતિ બંધ કહે છે–૨૩, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૨૦, ૩૧, ૧. એવં આઠ. છ ભૂયકાર, કેમકે ૩૧ બાંધતા ૧ ન બાંધે માટે. સાત અલ્પતર, ત્રણ અવક્તવ્ય બંધ તે આ પ્રમાણે-ઉપશાંત મોહ ગુણઠાણે સર્વથા અબંધ થઈ પડતાં આઠમે ગુણઠાણે જસનામ બાંધે. તે પ્રથમ સમયે પહેલો અવકતવ્ય. ઉપશાંતમહે કાલ કરી
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy