________________
કર્મસિદ્ધાન્ત સબંધી સાહિત્ય (ખંડ ૧: મળ તરીકે કાગડીસંગહણી' એવો ઉલ્લેખ કર્યો છે. ઉપર્યુક્ત બે પદ્યો તે કમ્મપયસિંગહણીની ગા. ૮૩ અને ગા. ૭૯ છે. વિશેષમાં પત્ર ૧૩૯માં કર્મપ્રકૃતિસંગ્રહણિકામાં કહ્યું છે એવા સ્પષ્ટ નિદે શપૂર્વક એમણે ““મા”થી શરૂ થતી ગાથા આપી છે. આ પણ કમ્મપયસિંગહણમાં ૯૬મી ગાથારૂપે જોવાય છે. આથી હરિભદ્રસૂરિએ શિવશર્મસૂરિકૃત કાપડિસંગહીને જ ઉપગ કર્યો છે એમ ફલિત થાય છે. આથી કપ ડિસંગહણીને ઈ. સ.ના પાંચમા સૈકા જેટલી તો પ્રાચીન માનતાં વાંધો આવે તેમ નથી. તત્વાર્થસૂત્ર (અ. ૮)ની ટીકામાં સિદ્ધસેનગણિએ બે વાર જે ક પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો છે (જુઓ પૃ. ૧૨૨ - ૧૭૮) તે પ્રસ્તુત કમ્મપયડિસંગહણી જ હેવી જોઈએ.
નંદીના પ્રારંભમાં ઘેરાવી છે. એમાં ૩૦મી ગાથામાં વાચક વંશને અને આ નદિલના શિષ્ય આર્ય નાગહસ્તિને તેમ જ વાગરણ (વ્યાકરણ), કરણ, ભંગિય (ભંગિક) અને કમ્મપયડિને ઉલ્લેખ છે. આના ઉપરની ટીકા (પત્ર ૧૬)માં “વ્યાકરણથી પ્રશ્નવ્યાકરણ કે શબ્દપ્રાભૂત, કરણથી પિડવિશુદ્ધિ અને ભંગિકથી ચતુભગિંક વગેરે કે એને લગતું શ્રત એ અર્થ કરી હરિભદ્રસૂરિએ
જર્મતિઃ વ્રતીતા” એમ કહ્યું છે. આમ કર્મપ્રકૃતિ જાણીતી છે કહી એ કથન દ્વારા પ્રસ્તુત કમપયડિસંગહણ જ સૂચવી હોય એમ લાગે છે.
નંદીની ગુણિ (પત્ર ૭)માં જે વ્યાખ્યા છે તેમાં કમ્મપડિ. સંગહણ વિષે કશે વિશેષ ઉલ્લેખ નથી.
નંદીની આ થેરાવલી એના ચૂર્ણિકારને મતે દૂષ્યગણિના શિષ્ય દેવવાચકની છે. આ દેવવાચક જૈન આગમને વીરસંવત ૮૮૦ કે ૯૪૩માં પુસ્તકારૂઢ કરનાર દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણથી ભિન્ન છે (જો કે કેટલીક વાર એમના નામાંતર તરીકે દેવદ્ધિ' નામ જોવાય છે, અને ક્ષમાશ્રમણના એઓ લગભગ સમકાલીન છે. આ દેવવાચકે