________________
કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: (૧) અન્વયગ (બન્ધશતક) યાને સયગ ( શતક)
નામાતર–આજે જે શિવમસૂરિકૃત સયગ ૧૦૦ કે ૧૧૧ જેટલી ગાથાનું મળે છે એનું સર્વથા સાન્તર્થ અને કર્તાને પણ અભિપ્રેત નામ તો બસયગ” છે એમ કમ્મપડિસંગહણના બંધન કરણના ઉપસંહારની નિમ્નલિખિત ગાથા ઉપરથી જણાય છે :
"एवं बन्धणकरणे परूविए सह हि बन्धसयगेण । વશ્વવિદ્યાગાદિને યુfમાતું છું કે ૧૦૨ ”
આની વૃત્તિ (પત્ર ૬૮૮)માં મલયગિરિસૂરિએ બધશતકને ગ્રંથ' કહ્યો છે એટલું જ નહિ પણ આ શતક અને કર્મ પ્રકૃતિ એ બંનેના કર્તા એક જ છે એમ પણ સ્પષ્ટપણે નિર્દેશ્ય છે. આથી એ પણ ફલિત થાય છે કે બન્ધસયગની રચના બાદ કમ્પપડિ(સંગહણી ) રચાઈ છે બંધસયગની ૧૦મી ગાથામાં “બંધસમાસ' વર્ણવાયો એ ઉલ્લેખ છે અને એના પછીની ગાથામાં “બંધવિહાણસમાસ' રચાયો એ ઉલ્લેખ છે. આ ઉપરથી ગ્રંથના નામમાં ‘બંધ’ શબ્દ હોવો જોઈએ અને એને વિષય પણ
૧ આ કૃતિ “સિદ્ધો શત્રુઘોથી શરૂ થતી ચુણિગુ સહિત અમદાવાદના વીસમાજ' ઈ. સ. ૧૯૨૨માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત કરી છે :
'श्रीमच्छी(च्छि)वशर्मपूरीश्वरसंदृब्ध सचूर्णिकम् श्रीशतकप्रकरणम्''
“વરસમાજ' તરફથી અમદાવાદથી ઇ. સ. ૧૯૨૩માં બન્ધશત - પ્રકરણ” એ નામની જે કૃતિ પત્રાકારે છપાવાઈ છે એમાં મૂળ, ચકેશ્વરસરિત ૧૧૨૩ ગાથાનું ગુરુભાસ (બહભાગ્ય) તેમ જ માલધારી' હેમચંદ્રસૂરિકૃત સ કૃત વૃત્તિ અને અંતમાં ૨૪ ગાથાનું મન કુરછfમ'થી શરૂ થતું લધુભાસ (લઘુભાષ્ય) અને એના ઉપર સપાદક શ્રી રામવિજય (હવે વિજયરામચન્દ્રસૂરિજી)ના ગુરુ ચેલું સંસ્કૃત ટિપ્પનક છપાયેલાં છે. આની પ્રસ્તાવનામાં આ પ્રાચીન (બાસયગ) અને 'નવ્ય' સયગ નામના પાંચમા કર્મ ગ્રંથનું વિષયદૃષ્ટિએ સંતુલન કરાયુ છે.