SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન બ્રાહ્મણની કથાઃ ૧૦૦ [ ૧૯૭ ગોંડલ નગરમાં પિતાના ઉતારા સ્થાને જઈ, પિતાની વસ્તુઓનું બરાબર નિરીક્ષણ કરે છે. તે વખતે તે ભાગવતને સ્થાને મહાભારત નીકળ્યું. બીજા વિદ્વાને પિતપિતાનું ભાગવત લઈને આવ્યા હતા. તે બ્રાહ્મણ પંડિત વિચાર કરે છે. “મારે શું કરવું” મારા ગામમાં જઈ ભાગવત લાવવાનો હવે સમય નથી. કાલે વિદ્વાનોના સમૂહથી ભરેલી સભામાં હું શું કરીશ? આ પ્રમાણે તે અતિ વ્યાકુલ થયે. તે સમયે મધ્યાન્હ સમયમાં એક હરિજન માર્ગ સાફ કરવાં ત્યાં આવ્યો. તે હરિજન મુખાકૃતિથી તે વિદ્વાનને અતિ ચિંતા મગ્ન જોઈ પૂછે છે-હે મહારાજ! તમે કઈ દુઃખના સંકટમાં પડયા લાગે છો શું? પહેલા પંડિત કંઈ પણ બેલ નથી. પરંતુ વારંવાર પૂછાયેલા પંડિતે કહ્યું, “મારા ગામથી અહિં આવવામાં ભૂલથી ભાગવતના સ્થાને મહાભારત લાવ્યા છું. મારું ગામ અહિંથી નવ કેસ દૂર રહેલું છે. ત્યાં જઈ અહિં પાછો આવવાનો સમય હવે નથી. તેથી શું કરવું આ પ્રમાણે હું વ્યાકુલ થયેલ . તે હરિજન કહે છે. આ કાર્યમાં વિચાર કરવા વડે સયું. તમારું ભાગવત અહિં હુ લાવી આપું ? વિદ્વાન કહે છે. આ અશક્ય છે. એટલે દુરથી અહીં કેવી રીતે આવી શકે? આ ગામમાંથી બીજા કેઈનું ભાગવત લાવવું સુલભ છે, પરંતુ મારૂં ભાગવત લાવવું સુલભ નથી. તે હરિજન કહે છે–તમારા ગામથી, તમારે જ ઘેરથી તમારું ભાગવત હું લાવીને આપું, બીજાનું નહિ, ફક્ત તમે પાંચ ક્ષણ સુધી આંખે મીંચીને રહે તેટલામાં જ તમારું ભાગવત અહિંયા આવી જશે. તે વખતે શ્રદ્ધા નહિ કરતે પણ તે વિદ્વાન આંખે
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy