SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સ'સારની અસારતા ઉપર નાગદત્તોડની કથા બારમી અજ્ઞાનથી આવૃત થયેલા લાકો હિત અહિતને જોતા નથી. નાગદત્ત શેઠની જેમ તે સાધુએ વડે હસાય છે. શ્રી અવંતિ નગરીમાં નાગદત્ત નામે મહાઋદ્ધિવાળા શેઠ રહે છે. તેને યશામતી નામની સ્ત્રી છે. તે ઇંદ્રિયના વિષય સુખમાં આસક્ત ભોગ વિલાસા વડે કાળ પસાર કરે છે. “ પાપીઓની લક્ષ્મી પાપકર્મીમાં વપરાય છે.” એ ન્યાયથી તેણે ક્રોડ દ્રવ્યના ખર્ચે બાર વર્ષે સાતમાળના મોટા મહેલ બધાવ્યા. તે મહેલ લેવા પ્રકારને થયા 3 જે મહેલના હજાર વર્ષ સુધી કાંકરા પણ ન ખરે. મહેલ બની ગયે છતે ચિતારાને ખેલાવીને જુદા જુદા પ્રકારનાં સ્ત્રી પુરૂષ અને તિર્યંચ વગેરેનાં ચિત્ર કરવાને માટે તા સાંપી. તે યિતારા પણ માણુસાની આંખાને આનંદકારક અનેક ચિત્રા વડે શે!ભતી ભીંતા કરે છે. શેડ ચિત્રશાલામાં ચિતારાઓને કાઈ એક વાર પ્રભાત સમયે તે ચિત્ર કરવાને માટે પ્રેરણા કરે છે તે વખતે ત્યાં કાઈક વિશિષ્ટ અધિજ્ઞાનવાળા મહાવ્રતધારી સાધુ પધાર્યા. ઘડપણની શરૂઆતમાં પણ વિષયમાં આસક્ત છે. નાગદત્તને જોઈને કાંઈક હસીને આગળ ચાલ્યા. નાગદત્ત પણ વિચાર કરે છે— ચિતારાઓને પ્રેરણા કરતા મને નીરખી હસીને મુનિ કેમ ગયા ? મહાત્મા કદી નીરક હસતા નથી.' મારામાં એવા પ્રકારનું શું
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy