SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવતીની કથા - એકવાર તેણીને ઘેર સાધુના ગુણુ સમૂહથી શાભતા મહાવ્રતી, જ્ઞાની એવા એક યુવાન સ. ભિક્ષાર્થે પધાર્યા. યુવાનીમાં પણ વ્રત ગ્રહણ કરેલ શાન્ત દાન્ત સાધુને ઘરમાં આવેલા જોઈને આહાર રાતે તે પશુ તેણીએ વિચાર્યું — “યુવાવસ્થામાં મહાવ્રત મહાદુલ ભ છે. કેવી રીતે આમના વડે આ યુવાનીમાં ગ્રહણુ કરાયું ? ” એમ ( વિચારીને ) પરીક્ષા માટે સમસ્યાથી પૂછ્યું——હમણાં સમય થયા નથી. કેમ વહેલા નીકળ્યા ? '' તેણીના હૃદયમાં રહેલા ભાવ જાણીને સાધુએ કહ્યું. સમયજ્ઞાન— ક્યારે મૃત્યુ થશે એમ ' નથી ( અર્થાત્ મારૂ મૃત્યું કયારે થશે એ સમયનું જ્ઞાન મને નથી. ) તેથી સમય ( થયા ) વિના નીકળ્યો. તેડ્ડી ઉત્તરાણીને ખુશ થઈ. મુનિએ પણ તેણીને પૂછ્યું—તમને કેટલા વરસ થયા ? મુનિના પૂવાના ભાવ જાણીને વીશ વર્ષ થયે તે પણ તેણીએ ‘ બાર વર્ષ’ થયા એમ ઉત્તર આપ્યા. ફરી પણ તમારા પતિને કેટલા વર્ષ થયા એમ પૂછ્યું ? તેણીએ પતિને ૨૫ વર્ષ થયે છતે પણ - પાંચ કહ્યા. એ પ્રમાણે સાસુના છ મહિના કહ્યા. સસરાની વાત પૂછ્યાં “ તે હજી જન્મ્યા નથી.' આમ પુત્ર વહુ અને સાધુ વચ્ચે થતી વાત ઓરડાની અંદર રહેલા સસરાએ સાંભળી, ભીક્ષા લઈ સાધુ ગયે છતે તે અત્યંત ક્રોધાકૂળ થઈ ગયા. કારણ કે પુત્ર વધૂ મને ઉદ્દેશીને હું ઉત્પન્ન નથી થયા એમ કહે છે. ગુસ્સે થયેલ તે પુત્રને કહેવા માટે દુકાને જાય છે. જતા સસરાને તેણી કહે છે ‘ હે સસરા તમે જમીને જાએ સસરા કહે છે જો હું જનમ્યા નથી તેા ભાજન કેવી રીતે ખાઉં. એમ કહીને દુકાને ગયા પુત્રને બધા વૃત્તાંત કહે છે , વર્ષ ', ૩૫ તારી પત્ની દુરાચારી, અસભ્ય વચનવાળી છે. આથી તેણીને ઘરમાંથી બહાર કાઢી મૂક. તે પેાતાની સાથે ઘેર આવ્યા. પત્નીને પૂછે છે. માતા પિતાનું કેમ અપમાન કર્યું· ? સાધુની સાથે વાર્તામાં કેમ ખોટા જવાબ આપ્યા. તેણીએ કહ્યું— તમે મુનિને પૂછે. તે
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy