SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વૃદ્ધાની કથા પરિણામ પારખીને તે પ્રમાણે સન્માન કરનાર લેકે જગતમાં અ૫હે છે. અહીં વૃદ્ધાનું દષ્ટાંત એક વખત ઘી અને ચામડાંના વેપારીઓ ઘી અને ચામડાં લેવાને પિતાના ગામથી નીકળ્યા. કેઈક ગામમાં એક ડોસીને ઘેર ભોજન માટે ગયા. તે ડોસી ભાવથી બેલાવે છે. ભોજન અવસરે ઘીના વેપારીને ઘરની અંદરના ભાગમાં, ચામડાંના વેપારીને ઘરની બહાર ભોજન કરાવે છે. ભોજન કરીને ગ્રામોતર ગયા. જ્યારે પાછી ઘી-ચામડાં ખરીદીને બંને ડોસીને ઘેર આવ્યા ત્યારે ભોજન અવસરે ચામડીના વેપારીને ઘરની અંદરના ભાગમાં અને ઘીના વેપારીને ઘરની બહાર ભોજન કરાવે છે. ભોજન પછી તેઓ વડે ક્રમભેદનું કારણ વૃદ્ધાને પૂછાયું. તેણી કહે છે–અગાઉ તમે જ્યારે આવેલા તે વખતે ઘીના વેપારીનું ચિત્ત વિશુદ્ધ હતું, કે હમણું જે પશુધન બહુ હોય તે સારું, ધી સુલભ અને અલ્પ કિંમતે ઘણું મળે. એ પ્રમાણે ભાવવિશુદ્ધિથી ઘરની અંદરના ભાગમાં તે ભોજન કરાવાય, તે વખતે ચામડાંના વેપારીનું અશુદ્ધ ચિત હતું. કારણ કે તે આ પ્રમાણે ચિંતવે છે—જે પશુધનને સંહાર થાય તે ચામડાં સુલભ, થેડી કિંમતે મળે. એ પ્રમાણે ભાવની અવિશુદ્ધિથી બહાર ભોજન કરાવા. પાછી ફરી આવ્યા, ત્યારે પશુધનવિનાશની વિચારણને લીધે તે ઘીને વેપારી બહાર બેસાડાયે, પશુધનવૃદ્ધિની વિચારણાને લીધે તે ચામડીને વેપારી ઘરની અંદરના ભાગમાં બેસાડાયે. થી તે છે જે બહાર પશુકન
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy