SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા ૧૭૩ ધર્મમાં રાની સિદ્ધિ. નિમલ કેર થાય છે. આવનારા પામે એમ સોપાલ રાજ લેકમાં ધર્મ સાર છે. ધર્મ પણ જ્ઞાન સારવાળે છે. જ્ઞાન સંયમ સારવાળું છે અને સંયમને સાર મેક્ષ છે.” જન્મ, જરા, મરણરૂપી પાણીથી ભરેલા આ સંસાર સમુદ્રમાં જિનપ્રણીત ધર્મ જ સાર છે એના પ્રભાવથી સર્વ વિદને નાશ પામે છે. સારી સંપત્તિ અને સુખ પરંપરા થાય છે. આ લેકમાં પણ વાંછિત અર્થની સિદ્ધિ, નિર્મળ બુદ્ધિ અને સર્વસિદ્ધિ મળે છે. ધર્મમાં જ્ઞાન સાર છે. જેથી કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભર્યા, હે પાદેય, હિતાહિતનું સ્વરૂપ જણાય છે. જેથી જ્ઞાન દ્વારા વિવેક-વિનય વગેરે શુભ ગુણે પ્રગટ થાય છે. તેથી સાર સંયમ થાય છે. તેથી આત્મા ભવસમુદ્ર તરીકે અવ્યાબાધ, શાશ્વત, અક્ષય નિર્વાણપદને પામે છે. એમ સાંભળીને વિરતિના પરિણામવાળી તે સત્યવતીએ રાજાની રજા લઈને પ્રજાપાલ રાજાએ કરેલા મહેસવપૂર્વક સુવ્રતા સાધ્વીજી પાસે દીક્ષા લીધી. તેમજ રાજા વિગેરેએ યથાશક્તિ સમ્યક્ત્વ સહિત અણુવ્રત ગ્રહણ કર્યા. તે સત્યવતી, સુવ્રતા સાધ્વી સાથે વિચરતી પૂર્વે બાંધેલા સંકિલષ્ટ કર્મક્ષય માટે વિવિધ તપ કરતી, સાધ્વી પાસે સૂત્રો ભણતી સાવી સમુદાયની વેયાવચ્ચ કરવામાં તત્પર, સ્વાધ્યાય ધ્યાનમાં લીન, નિર્મળ સંયમ પાળે છે. એ પ્રમાણે સંવેગના રંગથી રંગાયેલી સત્તર પ્રકારના સંયમ ગુણને પાલન કરવામાં તલ્લીન તે સત્યવતી સાવી છેલ્લે અનશન કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામી અને દેવકમાં ઉત્પન્ન થઈ, અનુક્રમે મોક્ષ પામશે. ઉપદેશ–સંસાર ઉપર વિરાગ કરાવનાર સત્યવતીની કથા સાંભળીને, દુષ્કમતે વિનાશ કરનાર એવા શીયળધમમાં મતિ કરવી જોઈએ G F વગેરએ “
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy