SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નમિમિથિલાનોપરાક્રમીરાજા હતો. આ અધ્યયનમાં નમિરાજાના નામિક | વૈરાગ્યનો પ્રસંગ નથી બતાવ્યો. પરંતુ સંસારનો ત્યાગ કરી નમિરાજા મિથિલાથી દૂર ચાલ્યા જાય છે, ત્યારે દેવરાજ ઇન્દ્ર નમિ રાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા લેવા બ્રાહાણનું રૂપ લઈને આવે છે. - બ્રાહ્મણરૂપધારી ઈન્દ્ર અને નમિ રાજાનો વાર્તાલાપ એ આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ઈન્દ્ર પ્રશ્નો પણ ગજબના પૂછયા છે અને વિરક્તિની જે અભિવ્યક્તિ કરી છે તે અનુપમ છે. એનો એક નમૂનો ઇન્દ્ર કહે છેएस अग्गी अ वाऊ अ, एयं डज्जइ मंदिर । भयवं ! अतेउरं तेणं, कीसणं नावपेक्खह ? ॥. હે ભગવંત, આ અગ્નિ છે અને વાયુ છે. તમારો રાજમહેલ આગમાં ખાખ થઇ રહ્યો છે. તમારું અંતઃપુર (રાણીવાસ) ભડકે બળે છે. છતાં તમે એ કેમ જોતા નથી? નમિ રાજર્ષિ જવાબમાં કહે છેसुहं वसामो जीवामो जेसिमो नत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए न मे डज्झई किंचणं ॥ હે બ્રાહ્મણ, અમે સુખે રહીએ છીએ અને સુખે જીવીએ છીએ. કોઇ પર-વસ્તુ મારી નથી. મારું કઇ પણ નથી. મિથિલા ભડકે બળી રહી છે. મારું કંઇ જ બળતું નથી.' આવા તો કેટલાયે પ્રશ્નો ને ઉત્તરો ઇન્દ્ર અને રાજર્ષિની વચ્ચે થાય છે, ઇન્દ્ર રાજર્ષિના જવાબોથી ખૂબ પ્રભાવિત બને છે, એ પોતાનું મૂળ રૂપે પ્રગટ કરે છે અને રાજર્ષિના ચરણોમાં મસ્તક નમાવી સ્તુતિ કરે છે. રાજર્ષિની પ્રદક્ષિણા કરી એ ફરી ફરી એમને પ્રણામ કરે છે. - કાસ ગાટાના આ અધ્યયનમાં શ્રામસ્યના સાફલ્યનું બેનમૂન રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy