SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ तत्त्वार्थाधिगमसूत्रम् [ ગ ૨ विधम्, यतः सातसम्यक्त्वहास्यादिकाः प्रकृतयो विविधास्तासां फलमपि विविधमेवेति । तथा ज्ञानावरणाद्या अपि विविधास्तत्फलमपि विविधमुच्यते । पुण्यमनुग्रहकारि सातादि, पापमुपघातकारि ज्ञानादिगुणानाम्, तयोः पुण्यपापयोः फलं स्वरसविपाकरूपं पुण्यपापफलम् । तदनुभवतो जीवस्योपभुञ्जानस्य, अनु पश्चादर्थे, पूर्वं ग्रहणं पश्चात् फलोपभोग इति । कथमनुभवत ? इत्याह-ज्ञानर्शनोपयोगस्वाभाव्यात्, ज्ञानदर्शने व्याख्याते तयोः स्वाभाव्यं પુણ્ય અને પાપના ફળને જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ સ્વભાવવાળો હોવાના કારણે અનુભવ કરતા એવા જીવને... પરિણામ વિશેષથી તેવું અપૂર્વકરણ – અપૂર્વ પરિણામ-અધ્યવસાયભાવો ઉત્પન્ન થાય છે જેથી એને ઉપદેશ વિના જ – નિસર્ગથી સમ્યગુદર્શન ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સમસ્ત-ભેગો અર્થ છે. હવે ટીકાથી તેના એક એક પદનો અર્થ વિચારીએ... નારક-તિર્યંચ રૂપે યોનિ = એટલે ઉત્પત્તિસ્થાન... તેનું નિરૂપણ બીજા અધ્યાયમાં કરાશે... તથા મનુષ્ય અને દેવોનો ભવ = જન્મ છે જેમાં તેવા શરીરો... “ગ્રહણ' એટલે આદાન, અર્થાત્ તેઓના શરીરોનું ગ્રહણ... આનો ભાવાર્થ કહે છે, અનાદિ સંસાર સ્વરૂપ તે તે ભાવોમાં... “વિવિધ = એટલે અનેક પ્રકારના પુણ્ય અને પાપના ફળને અનુભવતો જીવ... જે કારણથી સાત-વેદનીય, સમ્યક્ત (મોહનીય), હાસ્ય (નોકષાય) વગેરે પુણ્ય કર્મ-પ્રકૃતિઓ વિવિધ પ્રકારની છે, આથી તેના ફળ પણ વિવિધ પ્રકારના છે... તથા જ્ઞાનાવરણ વગેરે (પાપ) કર્મો પણ વિવિધ પ્રકારના છે, આથી તેનું ફળ પણ વિવિધ પ્રકારનું છે... (આમાં પહેલાં સાત-સમ્યક્ત વગેરે પ્રકૃતિઓ કહી તે પુણ્ય-પ્રકૃતિઓનું ઉપલક્ષણ (સૂચક) છે અને જ્ઞાનાવરણ આદિ કર્મ પ્રકૃતિઓ છે તે પાપ-પ્રકૃતિઓ છે. આથી બેયને અલગથી ટીકામાં કહ્યું હોવાનું જણાય છે.) પુણ્ય' = એટલે અનુગ્રહ = ઉપકાર કરનાર સાતવેદનીય વગેરે કર્મ પ્રકૃતિ તથા “પાપ” = એટલે જ્ઞાનાદિ ગુણોનો ઉપઘાત = નાશ કરનારૂં કર્મ... તે પુણ્ય અને પાપના ફળને = એટલે (તીવ્ર, મંદ વગેરે રૂપ) સ્વરસના વિપાકનો (ઉદયનો) = ફળનો અનુભવ કરતાં જીવને... અનુભવત: એટલે ઉપભોગ કરતાં = ભોગવતાં એવા જીવને મનુ શબ્દ “પશ્ચાદ્ = પછી એવા અર્થમાં છે... કર્મનું ગ્રહણ થાય અને પછી તેનો ફળ રૂપે ઉપભોગ/ભોગવટો થાય તે અનુભવ કહેવાય... પ્રશ્નઃ શાથી – શા કારણથી જીવ કર્મના ફળનો ઉપભોગ કરે છે ? જવાબ: જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ સ્વભાવવાળો હોવાથી જીવ કર્મના ફળનો અનુભવ કરે છે. જ્ઞાન અને દર્શન રૂપ ઉપયોગની વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે. તે બેનો સ્વભાવ
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy