SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૫૫૧ છ પર્યાપ્તિઓથી પર્યાપ્ત જીવો આવે. તેમાં પરીત્ત-દ્વારની જેમ સમજવું. અપર્યાપ્ત-જીવો છે તે પૂર્વ-પ્રતિપન્ન હોઈ શકે છે. (ઇન્દ્રિય-દ્વારમાં કહ્યા પ્રમાણે બેઈન્દ્રિય વગેરે જીવો હોય) પણ પ્રતિપદ્યમાનક ન હોય. (૪) સૂક્ષ્મ-વાર : આમાં સૂક્ષ્મ જીવો ઉભયથી રહિત છે. જયારે બાદર જીવોમાં પર્યાપ્ત-જીવોની જેમ સમજવું. અર્થાત્ સમકિતને પૂર્વે પામેલ જીવો હોય પણ નવા પામતાં હોય કે ન હોય. (૫) સંશિ-દ્વાર ઃ ભૂતકાળ, ભવિષ્યકાળ સંબંધી લાંબુ વિચારવાથી શક્તિવાળા જીવો “સંજ્ઞી' કહેવાય. તેમાં બાદર જીવોની જેમ જાણવું. તથા અસંજ્ઞી જીવોમાં અપર્યાપ્ત-જીવોની જેમ સમજવું. (૬) ભવ-દ્વાર : ભવ એટલે ભવસિદ્ધિક = ભવ્ય જીવો. તેમાં પણ સંન્નિ-જીવોની જેમ સમજવું. અભવસિદ્ધિકજીવોમાં ઉભયનો = સમકિતને પામતાં અને પામેલાંનો અભાવ છે. (૭) ચરમ-દ્વારઃ જે જીવોનો ચરમ = છેલ્લો ભવ આવશે તેઓ (અભેદોપચારથી) “ચરમ' કહેવાય. તેઓમાં પણ ભવ્ય-જીવોની જેમ સમજવું. અચરમ જીવોમાં અભવ્ય-જીવોની જેમ સમજવું. આમ સામાન્યથી ભાષક-પરીત્ત-પર્યાપ્ત-બાદર-સંજ્ઞી-ભવ્ય-ચરમ વગેરે જીવો સમકિતને પામેલાં હોય છે, પામનારા જીવો વિકલ્પ પ્રાપ્ત થાય છે. આથી જ ભાષ્યકારે તેમજ ટીકાકારશ્રી સિદ્ધસેન ગણિવરે પ્રાયઃ ઉક્ત ૧૩ દ્વારોમાં અંતર્ભાવ થઈ જતો હોવાથી તેનો ઉલ્લેખ અને વિવેચન કરેલું નથી.(ઉક્ત દ્વારોનું વર્ણન વિશેષાવશ્યક ભાષ્યની માસ પરિત્તપત્ત, એ ગાવે ૪૧૦ ની ટીકાના આધારે સમજવું.). સૂ.૮, પૃ.૨૦૮, ૫.૨૪ ટીકામાં બેથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યા લેવાનું કહેલું છે, તે ગણના-સંખ્યા લેવાની છે. માટે વ્યાતિ = “બે વગેરે એમ કહ્યું, પણ એકને સંખ્યા તરીકે ન લીધી. આ અંગે અનુયોગદ્વાર સૂત્ર. ૪૯૭ માં આ પ્રમાણે સ્પષ્ટતા કરેલી છે - ગણના-સંખ્યા શું છે? ( દ્વિતં જપાનસંધ્યા ?) “આ (ઘટ વગેરે પદાર્થો) આટલાં છે' એમ સંખ્યા કરવી તે ગણના-સંખ્યા કહેવાય. હવે નાનાં નતિ, (ા IT ન તિ સુપતિ સંવા...) આથી “એક એ ગણના પામતું નથી. કારણ કે જ્યાં એક ઘટાદિ વસ્તુ હોય ત્યાં સંખ્યા વિના “વસ્તુ (ઘટાદ) છે એટલી જ પ્રતીતિ (બોધ) થાય છે. અથવા ઘટાદિ કોઈ એક વસ્તુનું ગ્રહણ અથવા સમર્પણ કરવાના વ્યવહાર કાળે કોઈ ગણતરી કરતું નથી. આથી એક ઘટાદિ વસ્તુ એકત્વ-સંખ્યાનો વિષય બનવા છતાં ય પ્રાયઃ તેનો સંવ્યવહાર થતો ન હોવાથી અથવા અલ્પ હોવાથી એકની ગણના થતી નથી. એમ આ . શ્રી હરિભદ્રસૂરિ તથા હેમચંદ્રસૂરિ કૃત વૃત્તિમાં કહેલું છે. અન્ય હેતુની પણ વિચારણા પ. પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ કૃત ટિપ્પણીમાં કરેલી છે, તે ત્યાંથી જોઈ લેવા ભલામણ છે.
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy