SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ રૂ૩] ४११ स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् दार्टान्तिके योजयति-तद्वन्मिथ्यादर्शनेनोपहतेन्द्रियमनस्कस्य मतिश्रुतावधयस्त्रयोऽप्यज्ञानमेव भवन्ति, एकनयमतसमाश्रयणे तु न सर्ववस्तुपरिच्छेदः, न च तावन्मानं तद् वस्तु, नयमतान्तरेणान्यथापि परिच्छेदात्, अतः अज्ञानता त्रयाणाम्, सर्वनयसामग्रीप्रत्ययेनैकैकनयावलम्बी प्रत्ययो निवर्त्यत इति विद्यते हि सर्वनयसामग्रीप्रत्ययो बाधक इति / રૂરૂ | Vijપરિસમfઉં સૂવતિ - પુસ્તક રૂપે નથી ઇત્યાદિ ધર્મો પણ તેમાં હોવાથી તે જાણવાથી જ તેનો સંપૂર્ણ બોધ થઈ શકે છે. આમ એક અપેક્ષાએ “ઘડો છે પણ બીજી અપેક્ષાએ “ઘડો નથી” પણ... આ બન્નેય અપેક્ષાઓનો બોધ થવાથી ઘડાનો વાસ્તવિક સાચો બોધ થાય છે. પ્રેમપ્રભા પ્રશ્નઃ તેમ છતાં “અગ્નિ ઠંડો છે' એવા જ્ઞાનને પ્રત્યક્ષથી જણાયેલ ‘અગ્નિ ઉષ્ણ છે' એવા બાધક વિરોધી જ્ઞાન વડે જેમ ખોટું ઠરાવાય છે - અને તેને અજ્ઞાનરૂપે નિશ્ચિત કરી શકાય છે તેમ પ્રસ્તુતમાં બાધક = પ્રતિબંધક/વિરોધી એવા જ્ઞાન વિના એક નયમતના આધારે થયેલ વસ્તુના જ્ઞાનને ખોટું શી રીતે ઠરાવી શકાય ? અર્થાત્ કોઈ બાધક જ્ઞાન હોય તો જ તે જ્ઞાનને ખોટું અજ્ઞાનરૂપે ગણાવી શકાય. જવાબ : સર્વ જે નયો છે તેના બોધની સામગ્રી (સાધનો) વડે જે પ્રત્યય = બોધ/નિશ્ચિય થાય છે, તેના વડે એક જ નયમતના આલંબન દ્વારા થયેલ બોધની નિવૃત્તિ = નિષેધ/બાધ કરાય છે. આ રીતે સર્વપ્રકારના નયની સામગ્રી વડે ઉત્પન્ન થતાં બોધ = નિશ્ચયરૂપ બાધક જ્ઞાન હાજર છે અને તેથી તેના વડે એક નયના આશ્રયથી થતું જ્ઞાન બાધિત થાય છે, અટકાવાય છે, ખોટું ઠરાવાય છે. આથી તે અજ્ઞાન રૂપ છે. (૧-૩૩) ચંદ્રપ્રભાઃ અર્થાત્ “ઘડો છે' આટલું જ જ્ઞાન એક નયના આલંબન/સ્વીકાર દ્વારા થાય છે. એનો અર્થ એ કે “સર્વથા ઘડો છે, ઘડો જ છે' એમ એક નય મતનો આશ્રય કરનારાઓ દ્વારા બોધ કરાય છે, પણ તે બરોબર નથી. કેમ કે, સ્વરૂપની અપેક્ષાએ જ “ઘડો છે' એ સાચું છે. તે જો કોઈપણ અપેક્ષાએ હોય તો પર રૂપે એટલે કે પટ (વસ્ત્ર), પુસ્તક આદિ રૂપે પણ “ઘડો છે' એમ કહેવું પડે અને તે બોધ વસ્તુસ્થિતિથી વિપરીત-અયથાર્થ છે, કારણ કે પટ વગેરે રૂપે તો ઘડો નથી જ. પણ જ્યારે સર્વ નયોનો આશ્રય કરાય ત્યારે તો પટ, પુસ્તકાદિ પર દ્રવ્યાદિ રૂપે “ઘડો નથી” એવો પણ બોધ થવાથી તે યથાર્થ બોધ છે અને તે “એકાંતે ઘડો જ છે' એવા એક નયમતના આલંબનથી થતાં જ્ઞાનનો બાધ/પ્રતિબંધ કરે છે. ૨. પરિવુ . સમગ્ર મુ. ૨. પૂ. કૃતપરિ૦ મુ. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy