SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો જે જ્ઞાન શ્રુતની સહાયતા લે છે, તે અનિદ્રિયજન્ય શ્રુતજ્ઞાન છે. ઈન્દ્રિયજન્ય અને અનિદ્રિયજન્ય (મતિજ્ઞાન) ના ચાર પ્રકાર જણાવતાં પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથમાં જણાવ્યું છે કે, "एतद्वितयमवग्रहेहावाय-धारणाभेदादेकश्चतुर्विकल्पकम् ।।२-६।। મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકાર : - ઈન્દ્રિયનિબંધન અને અનિયિનિબંધન (મતિજ્ઞાનના) જ્ઞાનના ચાર પ્રકાર છે - (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય અને (૪) ધારણા. અવગ્રહાદિનું સ્વરૂપ જણાવતાં પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથમાં જણાવ્યું છે કે, "विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तरसामान्या कारविशिष्टवस्तुग्रहणमवग्रहः ।।२-७।। अवगृहीतार्थविशेषाकाङ्क्षणमीहा ॥२-८।। હિતવિશેષનિયોડવાય: ર-ાાસાવ દૃઢતમવિસ્થાપન્ન થાર થાર-૨૦| - (વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, તે) સામાન્યવિશેષાત્મક વસ્તુ અને ઈન્દ્રિયોનો સંનિપાત (સંપર્ક) થતાં તે પછી જે દર્શન (નિરાકાર જ્ઞાન-સામાન્યજ્ઞાન) થાય છે અને તે નિરાકાર જ્ઞાનથી સત્તા-સામાન્યાદિના અવાંતર મનુષ્યત્વ, ઘટવ આદિ વિશેષોથી વિશિષ્ટ વસ્તુને ગ્રહણ કરનારું પ્રથમ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને અવગ્રહ કહેવાય છે. અર્થાત્ આ મનુષ્ય છે”, “આ ઘટ છે” ઈત્યાદિ અવાંતર વિશેષોથી વિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય છે, તે અવગ્રહ કહેવાય છે. અવગ્રહથી ગ્રહણ કરેલા વિષયમાં (પદાર્થમાં) વિશેષ નિર્ણય માટેની જે આકાંક્ષા થાય તેને ઈહા કહેવાય છે. અર્થાત્ અવગ્રહથી સામાન્ય ઘટને જાણી લીધા બાદ “એ ઘટ અમદાવાદનો છે કે વાપીનો છે?” એવો સંશય થાય છે. સંશયના કારણે તે ઘટ વિશે વિશેષ જાણવાની આકાંક્ષા ઉભી થાય છે કે “આ ઘટ અમદાવાદનો હોવો જોઈએ” - આવી સંભાવના વિષયક જ્ઞાનને ઈહા કહેવાય છે. ઈહાની પછી ઈહા દ્વારા સંભાવિત વિશેષ પદાર્થનો નિર્ણય કરવો તેને અપાય કહેવાય છે.
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy