________________
“સ્યાદ્વાદ અનેકાંતવાદ’’
આથી એક જ વસ્તુમાં ‘અસ્તિત્વ’ રૂપથી સ્વપર્યાયનો અને ‘નાસ્તિત્વ’’ રૂપથી ૫૨૫ર્યાયોનો વ્યપદેશ કરવામાં લેશમાત્ર લોકવ્યવહારનું અતિક્રમણ થતું નથી.
શંકા36) :
૨૯
નાસ્તિત્વ અભાવસ્વરૂપ છે. અભાવ તુચ્છરૂપ છે અને તુચ્છની સાથે સંબંધ કઈ રીતે હોય? કારણ કે, તુચ્છ વસ્તુ સમસ્ત શક્તિઓથી રહિત હોવાના કારણે તેમાં સંબંધશક્તિનો (બીજાની સાથે સંબંધ કરવાની શક્તિનો) પણ અભાવ જ છે.
તદુપરાંત, જો વિવક્ષિત વસ્તુમાં પરપર્યાયોનું નાસ્તિત્વ છે, તો વિવક્ષિત વસ્તુનો નાસ્તિત્વની સાથે સંબંધ ભલે હોય, પરંતુ પ૨૫ર્યાયોની સાથે સંબંધ કેવી રીતે હોઈ શકે? પટાભાવ સાથે સંબધ્ધ ઘટ, પટની સાથે સંબંધ ક૨વા માટે યોગ્ય બની શકતો નથી.
કહેવાનો આશય એ છે કે, જો ઘટમાં ૫૨૫ર્યાયોનું નાસ્તિત્વ છે, તો નાસ્તિત્વ નામના ધર્મથી ઘટનો સંબંધી માની શકાય છે, પરંતુ પરપર્યાયોની સાથે સંબંધ માની શકાતો નથી. જો પટનો અભાવ ઘટમાં રહે છે, તો પટના નાસ્તિત્વથી ઘટનો સંબંધ છે, પરંતુ તેનાથી પટની સાથે પણ ઘટનો સંબંધ કઈ રીતે હોઈ શકે ? અને એવા પ્રકારની પ્રતીતિ કોઈપણ સ્થળે જોવા પણ મળતી નથી અર્થાત્ જે પદાર્થનો અભાવ જેમાં દેખવા મળે, તે પદાર્થ પણ તેમાં દેખવા મળે એવી પ્રતીતિ થતી નથી. આથી વિવક્ષિત વસ્તુમાં પરપર્યાયોનો સંબંધ હોઈ શકતો નથી.
36. नास्तित्वमभावोऽभावश्च तुच्छरूपस्तुच्छेन च सह कथं सम्बन्धः, तुच्छस्य सकलशक्तिविकलतया सम्बन्धशक्तेरप्यभावात् । अन्यच्च यदि परपर्यायाणां तत्र नास्तित्वं, तर्हि नास्तित्वेन सह सम्बन्धो भवतु, परपर्यायैस्तु सह कथं सम्बद्धः, न खलु घटः पटाभावेन सम्बद्ध: पटेनापि सह सम्बन्धो भवितुमर्हति तथा प्रतीतेरभावात् ।